બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બેંગલુરુને બનાવ્યું ભારતનું સિલિકોન વેલી, અપાવી સમગ્ર વિશ્વમાં ઓળખ, જાણો એસએમ કૃષ્ણાની જીવન સફર

આ ખોટ નહીં પુરાય / બેંગલુરુને બનાવ્યું ભારતનું સિલિકોન વેલી, અપાવી સમગ્ર વિશ્વમાં ઓળખ, જાણો એસએમ કૃષ્ણાની જીવન સફર

Last Updated: 05:51 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે જાન્યુઆરીમાં, તેમણે તેમની ઉંમરને ટાંકીને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બેંગલોરને વૈશ્વિક નકશા પર મૂકવા અને તેને આઈટી હબ તરીકે વિકસાવવાનો શ્રેય તેમને જાય છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણ એટલે કે એસએમ કૃષ્ણાનું મંગળવારે સવારે 92 વર્ષની વયે અવસાન થયું. તેમણે બેંગ્લોરમાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. કૃષ્ણાના પરિવારમાં તેમની પત્ની પ્રેમા કૃષ્ણા અને બે પુત્રીઓ માલવિકા કૃષ્ણા અને શાંભવી કૃષ્ણા છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં, તેમણે તેમની ઉંમરને ટાંકીને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બેંગલોરને વૈશ્વિક નકશા પર મૂકવા અને તેને આઈટી હબ તરીકે વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. વાસ્તવમાં, તેમના કાર્યકાળ દરમિયાન, IT ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા હતા. આનું પરિણામ એ આવ્યું કે બેંગ્લોર ભારતની 'સિલિકોન વેલી' તરીકે જાણીતું બન્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.. તેમણે ટ્વીટ કર્યું, 'એસ.એમ કૃષ્ણા એક અસાધારણ નેતા હતા, જેમને જીવનના તમામ ક્ષેત્રના લોકો વખાણતા હતા. તેઓ હંમેશા અન્ય લોકોના જીવનને સુધારવા માટે અથાક મહેનત કરતા હતા. તેમને કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ માટે યાદ કરવામાં આવે છે, ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર તેમના ધ્યાન માટે. એસ.એમ. કૃષ્ણા એક પ્રખર વાચક અને વિચારક પણ હતા.

-કર્ણાટકના માંડ્યા જિલ્લામાં 1 મે 1932ના રોજ સોમનહલ્લીમાં જન્મેલા એસએમ કૃષ્ણા વિદેશ મંત્રી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.

-કાયદા સ્નાતક એસ.એમ. કૃષ્ણા ડલ્લાસ, ટેક્સાસની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી અને યુએસમાં વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી લો સ્કૂલમાંથી સ્નાતક થયા. અહીં તેઓ ફુલબ્રાઈટ સ્કોલર હતા.

- તેઓડિસેમ્બર 1989 થી જાન્યુઆરી 1993 સુધી કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ 1971 અને 2014 વચ્ચે ઘણી વખત લોકસભા અને રાજ્યસભાના સભ્ય પણ હતા.

-1999ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા, જેમાં પાર્ટીએ જીત મેળવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.

- કોંગ્રેસમાં જોડાતા પહેલા તેઓ પ્રજા સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા. એસએમ કૃષ્ણા માર્ચ 2017માં કોંગ્રેસ સાથેના તેમના લગભગ 50 વર્ષના લાંબા જોડાણને સમાપ્ત કરીને ભાજપમાં જોડાયા હતા.

ચાલો હવે જાણીએ એસ.એમ. ક્રિષ્નાને વિગતવાર

પાંચ દાયકાની તેમની રાજકીય કારકિર્દીમાં, 92 વર્ષીય કૃષ્ણાએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ભૂમિકાઓ ભજવી હતી, એવા ઘણા ઓછા રાજકારણીઓ હશે જેમણે સમાન હોદ્દા પર કામ કર્યું હશે. તેમણે વિધાન પરિષદના સભ્ય, વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્ય પ્રધાન, કેન્દ્રીય વિદેશ પ્રધાન અને રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. 1 મે, 1932ના રોજ કર્ણાટકના માંડ્યા જિલ્લામાં સોમનહલ્લીમાં જન્મેલા કૃષ્ણાએ 1962ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કેવી શંકર ગૌડા સામે મદ્દુર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતીને તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને પછી કોંગ્રેસમાં જોડાયા.

ફુલબ્રાઈટ વિદ્વાન

તેમણે મહારાજા કોલેજ, મૈસુરમાંથી સ્નાતક થયા અને અહીંની સરકારી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. કૃષ્ણાએ ડલ્લાસ, યુએસએમાં સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં અને પછી જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, જ્યાં તેઓ ફુલબ્રાઈટ વિદ્વાન હતા. ફુલબ્રાઈટ પ્રોગ્રામ એ અમેરિકાનો અગ્રણી આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ છે જે 160 થી વધુ દેશોમાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને અભ્યાસ, શિક્ષણ અને સંશોધનની તકો પ્રદાન કરે છે. ભારતમાં તેમણે રેણુકાચાર્ય લો કોલેજમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું.

1968માં સમાજવાદી સાંસદ તરીકે પહેલીવાર સંસદમાં પહોંચ્યા

1968માં તેઓ સમાજવાદી સાંસદ તરીકે પહેલીવાર સંસદમાં પહોંચ્યા અને ચોથી લોકસભાના સભ્ય બન્યા. કૃષ્ણા પાંચમી લોકસભા માટે પણ ચૂંટાયા હતા, પરંતુ 1972માં તેમણે રાજ્યના રાજકારણમાં પાછા ફરવાનું પસંદ કર્યું હતું. તેઓ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા અને વાણિજ્ય, ઉદ્યોગ અને સંસદીય બાબતોના પ્રધાન બન્યા હતા, જે પદ તેમણે 1972 થી 1977 સુધી સંભાળ્યું હતું. તેઓ 1980 માં લોકસભામાં પાછા ફર્યા અને 1983-84 સુધી ઉદ્યોગ રાજ્ય પ્રધાન અને 1984-85 સુધી નાણાં રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી.

મનમોહન સિંહની આગેવાનીવાળી સરકારમાં વિદેશ મંત્રી હતા

1989માં કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ અને 1992માં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી બન્યા. 1996 માં તેઓ રાજ્યસભા માટે ચૂંટાયા અને ઓક્ટોબર 1999 સુધી તેના સભ્ય રહ્યા. 1999ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હતા, જેમાં પાર્ટીએ જીત મેળવી હતી. તેઓ ઓક્ટોબર 1999 થી મે 2004 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. તેમણે ડિસેમ્બર 2004 થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે અને મે 2009 થી ઓક્ટોબર 2012 સુધી મનમોહન સિંહની આગેવાની હેઠળની સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી.

કોંગ્રેસ સાથે 50 વર્ષ જૂના સંબંધોનો અંત

2017માં, તેઓ કોંગ્રેસ સાથેના તેમના લગભગ 50 વર્ષ જૂના સંબંધોને સમાપ્ત કરીને ભાજપમાં જોડાયા. તેમણે 7 જાન્યુઆરી, 2023 ના રોજ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.

આ પણ વાંચોઃ ખેડૂતોનું મોટું એલાન, આ તારીખે દિલ્હી કૂચ કરશે, રાજધાની ફેરવાશે સમરાંગણમાં

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SM Krishna SM Krishna Profile IT Hub
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ