દેશમાં એક તરફ વિમાન સેવા આપતી કંપનીઓ ઠપ થઇ રહી છે. ક્યારેક દેશની સૌથી મોટી જાણીતી એરલાઇન્સ રહેલી જેટ એરવેજે બુધવારે પૈસાની અછતના કારણે પોતાના તમામ વિમાનોને થંભાવી દીધા. કંપનીના આ નિર્ણયથી જેટમાં કામ કરનારા કર્મચારીઓ પર આભ તૂટી પડ્યું છે. કેટલાય મહિનાથી પગાર ન મળવાથી પરેશાન કર્મચારીઓની ન માત્ર જનજીવનને અસર પહોંચી છે, પરંતુ તેમના બાળકોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. હાલત એટલી ખરાબ છે કે પૈસાની અછતના કારણે કોઇ પોતાનું ઘર વેચવા મજબૂર છે તો કોઇ પોતાની સોસાયટીમાં ડિફોલ્ટર બનાવીને જીવી રહ્યા છે.