પાન મુખવાસ સિવાય ચામડી પર પણ જાદુઈ અસર કરે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટસ્ ચામડીના ડેડ સેલ્સને દૂર કરે છે જેથી ચહેરો ચમકી ઉઠે છે અને સ્કિન સોફ્ટ બને છે. ઉપરાંત સ્કીનને ગ્લોઇંગ રાખવા માંગતા હોય તો નાગરવેલના પાંદડાનો ઉપયોગ કરો. નાગરવેલના પાંદડાથી વાળને ચળકતા પણ બનાવી શકાય છે.
નાગરવેલના પાનના બનેલા હેર પેકનો ઉપયોગ કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે
થોડુંક દાઝી જવા પર આ પાન પણ ગલાવી શકાય છે
ત્વચાને ગ્લોઇંગ રાખવા માંગતા હોય તો પછી નાગરવેલના પાનનો ઉપયોગ કરો
સામાન્ય રીતે ભારતના કેટલાક એવા શહેરો છે જ્યાં જમ્યા પછી પાન ખાવાનું ચલણ છે. જમ્યા પછી પાન ખાવાના કેટલાક ફાયદાઓ છે. પરંતુ પાન ખાવા સિવાય પણ પાનના અન્ય કેટલાય ફાયદા છે. શરીર ઉપર થતી અળાઈ અને રેશિસમાં આ પાન જાદુઈ અસર કરે છે.
વાળ ખરતા અટકાવો
આજના સમયમાં મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે. જો તમે વાળ ખરવાના કારણે ચિંતિત છો, તો નાગરવેલના પાનના બનેલા હેર પેકનો ઉપયોગ કરવાથી તમને ઘણી રાહત મળી શકે છે. આ માટે પાંનને નાળિયેર તેલમાં મિક્સ કરીને માથા પર લગાવો જ્યારે તેને માલિશ કરો. આ તેલને એક કલાક વાળ પર રાખો અને તે પછી વાળ શેમ્પૂ કરો. આ પેકને અઠવાડિયામાં બે વાર અપનાવવાથી ઉત્તમ પરિણામો મળે છે.
પાનના 5 પત્તા લઈ સાફ કરી તેની પેસ્ટ કરી મધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે ગલાવી રાખો. સૂકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી 1 મહિનામાં પરિણામ તમને જોવા મળશે.
પાનના થોડાંક પત્તા લઈ લગભગ 1 લીટર પાણીમાં ઉકાળો. હૂંફાળું થવા પર તેને પાણીમાં મસળી તેનાથી ચહેરો ધોવો. અઠવાડિયામાં 2 દિવસ કરવાથી ચહેરા પર ચંક આવી જશે પરંતુ વધુ કરવાથી ડ્રાયનેસ પણ આવી શકે છે.
થોડુંક દાઝી જવા પર આ પાન પણ ગલાવી શકાય છે. પાનને સરખા સાફ કરી મસળી એક ચમચી ઓર્ગેનિક મધ મિક્સ કરો. આ પેસ્ટને દાઝેલ જગ્યા પર લગાવો. બળતરાથી રાહત થશે અને ઘા જલ્દી ભરાઈ જશે.
ખીલ દૂર કરશે
ખીલની તકલીફ હોય તો પાનને ઉકાળી પાણીનો રંગ બદલાવો આવે એટલે ગેસ બંધ કરી દો. પાણી ઠંડુ થવા પર ચહેરો ધોઈ લો. થાડાક દિવસમાં ખીલ ગાયબ થઈ જશે.