આજે કૃષિ કાયદો જ્યારે પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે કૃષિ કાયદો રદ કરવામાં આવતા દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો
રાઘવજીએ કહ્યું PMએ ગેરસમજ દૂર કરવા નિર્ણય લીધો
દોઢ વર્ષ ખેડૂતો હેરાન થયા દિગ્ગજ કોંગ્રેસ નેતાએ કેન્દ્રને માર્યો ટોણો
દેશમાં લાગુ કરવામાં આવેલા ત્રણ મહત્વના કૃષિ કાયદાઓ પરત ખેંચવામાં આવ્યા છે જેને લઈને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે, મહત્વનું છે કે લાંબા સમયથી ખેડૂતો દ્વારા કૃષિમાં લાગું કરવામાં આવેલા ત્રણ કાયદાઓ માટે લડત ચલાવવામાં આવી રહી હતી, જેને લઈને ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા હતા..જેને આજે ન્યાય મળ્યો છે, વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રજોગ કરેલા સંબોધનમાં કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી..અને આંદોલન કરી રહેલા ખેડૂતોને ઘરે પરત ફરવાનું જણાવ્યું હતું..
ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો
જો કે હવે કૃષિ કાયદો રદ થતા ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.. અને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી..બનાસંકાઠાના ખેડૂતોમાં કુષિ દાયદાને રદ કરવામાં આવતા ખુશખુશાલ બન્યા હતા.ખેડૂતોએ કહ્યું હતું કે PM મોદીએ નાના ખેડૂતોનુ વિચાર્યુ છે, હવે મોટી કંપનીઓ શોષણ કરતી બંધ થશે
PMએ ગેરસમજ દૂર કરવા નિર્ણય લીધો
નવા કૃષિ કાયદા પરત ખેંચવા અંગે રાઘવજી પટેલે કહ્યું કે, સરકારે ખેડૂતોને સમજાવવા ઘણાં પ્રયાસ કર્યા...ખેડૂતોના મનમાં ઘણી ગેરસમજણો હતી...ત્યારે PM મોદીએ ખેડૂતોની ગેરસમજ દૂર થાય તે માટે આ નિર્ણય લીધો છે,
દિગ્ગજ કોંગ્રેસ નેતાએ કહ્યું કે...
નવા કૃષિ કાયદા પરત ખેંચવા અંગે કોંગ્રેસ નેતા અમરીશ ડેરે વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા..અમરીશ ડેરે કહ્યું કે દોઢ વર્ષ સુધી ખેડૂતો હેરાન થયા અન્ય રાજકીય પાર્ટીઓએ PMને સમજાવતી પરતું વડાપ્રધાનને હાલ આ વાત સમજાઈ અને કૃષિ કાયદો પરત ખેચ્યો, આખરે સરકારે કરેલો નિર્ણય પરત ખેંચવો પડ્યો, જે બદલ વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા..કૃષિ કાયદા પરત ખેંચવા પર કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નિવેદન આપતા કહ્યું કે ખેડૂતોનું આંદોલન અને શહાદત સફળ થઈ છે, કૃષિ કાયદા રદ્દ કરાવવામાં ખેડૂતોની જીત અને ખેડૂતો સામે સરકારે ઝુંકવું પડ્યું છે.
કૃષિ કાયદો પરત ખેંચાતા ખેડૂતોમાં ખુશી
આજે કૃષિ કાયદો જ્યારે પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. કૃષિ કાયદાને પરત લેવામાં આવતા હવે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. કૃષિ કાયદો પરત ખેંચવા મામલે કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસ દ્વારા કહેવાયું છે કે કાળો કાયદો પરત ખેંચ્યો, ફરીથી એકવાર ખેડૂતોની જીત થઈ છે. કોંગ્રેસને જણાવ્યું કે સરકાર ઉદ્યોગકારોના હિતમા નહી પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લે, ભારત ખેતી પ્રધાન દેશ છે, એ વાત સરકારને મોડે મોડે યાદ આવી અને કેટલાક ખેડૂતોની આત્મહત્યા બાદ, આંદોલનો બાદ કાળો કાયદો પરત ખેંચ્યો છે. કોંગ્રેસે ખેડૂતોના હિતને જોતા નિર્ણયને વધાવીએ છીએ તેમ કહેતા મોદી સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો..
ત્રણ નવા કૃષિ કાયદા શું હતા?
1 ) કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય કાયદો, 2020 ( ધ ફાર્મર્સ પ્રોડયૂસ ટ્રેડ એન્ડ કોમર્સ કાયદો )
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ હતી જેમાં ખેડૂતો-વેપારીઓને રાજ્યની APMCની રજિસ્ટર્ડ મંડીઓ બહાર પાક વેચવાની છૂટ હતી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રોકટોક વિના વેચાણની વાતને ઉત્તેજન અપાયું હતું. તેમજ બિલમાં માર્કેટિંગ અને ટ્રાસ્પોર્ટેશન પર ખર્ચ કરવાની વાત કરાઈ હતી એટલું જ નહીં ઇલેક્ટ્રોનિક વેપારી માટે એક સુવિધાજનક માળખું પૂરું પાડવાની વાત હતી.
જો કે ખેડૂતોને આ વાતનો ડર હતો કે...
એપીએમસી માર્કેટ જ રદ થઇ જશે અથવા તેનું મહત્વ ઘટી જશે. આમ થવાથી ટેકાના ભાવ પણ ધીરે ધીરે નાબુદ થઇ જશે તો સાવ સસ્તા ભાવે અમારે પાક વેચવો પડશે અને તેનાથી રોકાણના નાણા પણ નહીં મેળવી શકીએ.
2) કૃષિક સશક્તિકરણ અને સંરક્ષણ કાયદો, 2020 ( ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ અસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ )
આ કાયદામાં કૉન્ટ્રેક્ટ ફાર્મિંગનો ઉલ્લેખ કરાયો હતો, કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ માટે એક રાષ્ટ્રીય ફ્રેમવર્ક બનાવવાની જોગવાઈ હતી, ખેડૂત મોટા છૂટક વિક્રેતાઓ સાથે કોન્ટ્રેક્ટ કરીને નિયત કિંમત પર પાક વેચી શકે, તેમજ 5 હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો કૉન્ટ્રેક્ટથી લાભ મેળવી શકે. આ કાયદામાં બજારની અનિશ્ચિતતાનો ખતરો ખેડૂતના બદલે કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ કરાવનાર આયોજક પર હતો. ખેડૂતોને ગુણવત્તાવાળાં બીજનો પૂરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાની વાત હતી. ખેડૂતો મધ્યસ્થીને હટાવીને સારી કિંમત મેળવવા માટે સીધા બજારમાં જઈ શકે, એટલુંજ નહીં વિવાદની સ્થિતિમાં એક નિશ્ચિત સમયમાં તંત્રને સ્થાપિત કરવાની વાત હતી..
જો કે ખેડૂતોને આ વાતનો ડર હતો કે...
આ કાયદા મુજબ જો કંપનીઓ કોન્ટ્રાક્ટ રદ કરી દે તો તેવી સ્થિતિમાં કલેક્ટર સુધી જ ફરિયાદની સત્તા ખેડૂતોને અપાઇ છે. એટલે કે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પણ નુકસાન ખેડૂતોને જ છે અને તેમને કોન્ટ્રાક્ટ બાદ કાયદાકીય રીતે કોઇ જ સુરક્ષા નથી આપવામાં આવી. આ ઉપરાંત આ કાયદાથી કોર્પોરેટ સેક્ટરને ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો મળી જશે.
આ કાયદામાં અનાજ, કઠોળ, ઑઇલસીડ, ખાદ્ય તેલ, ડુંગળી, બટાકાને આવશ્યક વસ્તુની યાદીમાંથી હટાવાયા હતા, યુદ્ધ જેવી અસાધારણ સ્થિતિને બાદ કરતાં ગમે તેટલો સ્ટૉક રાખી શકતા હતા. કૃષિ ઇન્ફ્રા.માં રોકાણ વધવાનો દાવો કરાયો હતો. કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ સપ્લાઈ ચેઇનનું આધુનિકીકરણનો દાવો કરાયો હતો. વસ્તુના મૂલ્યમાં સ્થિરતા લાવવામાં ખેડૂતો અને ગ્રાહકો બંનેને મદદનો દાવો હતો. તેમજ બજારનું વાતાવરણ હરિફાઈવાળું બનશે પાક નુકસાનીમાં ઘટાડાનો દાવો પણ કરાયો હતો.
જો કે ખેડૂતોને આ વાતનો ડર હતો કે...
કાયદામાં સુધારાથી માત્ર મોટી કંપનીઓ અને વ્યાપારીઓને જ ફાયદો, આ કંપનીઓ વધુ ઉપજ હોય ત્યારે સસ્તા ભાવે પાક ખરીદી લેશે અને મોટા જથ્થામાં સ્ટોર કરીને બાદમાં મોંઘાભાવે તેને વેચશે. તેનાથી ન તો આમ નાગરિકોને લાભ થશે કે ન તો ખેડૂતોને, સંગ્રહખોરી પણ વધશે ને મોંઘવારીનો માર ખેડૂતોની સાથે આમ નાગરિકો પર પણ અસર પડશે.