યુપીના પૂર્વાંચલનો એક એવો ડોન અને રાજનેતા કે જેને સાંસદ બન્યા બાદ તરત જ થવું પડ્યું હતું ફરાર. અનેક માફિયાઓની માફક આ માફિયાએ પણ ગુનાની દુનિયામાં પોતાના પગ રાખી દીધા અને ધીરે ધીરે તેણે પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રાક્ટ, ખનન સહિત અનેક ગેરકાનુની ધંધામાં તેણે પોતાનું છાપી દીધું. હાલ તે જેલમાં બંધ. ત્યારે આવો જાણીએ કોણે છે આ માફિયા ડોન અને રાજનેતા ?. શું છે તેનો ઈતિહાસ ?
ઉત્તરપ્રદેશની રાજનીતિમાં એવા અનેક નેતાઓ છે જેમણે ગુનાની દુનિયામાંથી નીકળીને રાજનીતિમાં પગ રાખ્યો છે. પરંતુ એવા અનેક નેતા છે જેઓ રાજનીતિમાં આવીને પણ પોતાની માફિયાવાળી છબિમાંથી બહાર નથી નીકળી શક્યા. તેમના કારનામાએ હંમેશા તેમને ચર્ચામાં રાખ્યા છે. યુપીની રાજનીતિમાં આવું જ એક નામ છે પૂર્વાંચલનો માફિયા ડૉન અતીક અહેમદનું.
સૌથી પહેલા તો તમે જાણી લો કે આ વ્યક્તિ છે કોણ ? અતીક અહેમદનો જન્મ 10 ઓગસ્ટ 1962માં થયો હતો. તે મૂળ ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જનપદના રહેવાસી છે. અભ્યાસમાં તેની કાઈ ખાસ રુચી ન હતી.
તેથી તેણે પ્રાથમિક શિક્ષણ જ છોડી દીધું. અને અનેક માફિયાની માફક તે પણ ગુનાની દુનિયામાં આવી ગયો. અને ધીરે ધીરે તેણે પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રાક્ટ, ખનન તથા અન્ય અનેક ગુનાહિત કામોમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું.
તો તમે અતીક અહેમદના વિશે જે જાણ્યું એ માત્ર એક અંશ છે. તેના ગુનાહિત ઈતિહાસ ખુબ લાંબો છે. માત્ર 17 વર્ષની ઉંમરે તેના પર પ્રથમ કેસ નોંધાયો હતો. અને આ કેસ હતો હત્યાનો. વાત છે 1979ના વર્ષની કે જ્યારે અતીક અહેમદની ઉંમર માત્ર 17 વર્ષની હતી અને ત્યારે તેના પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અને આ કેસ બાદ તો અતીક અહેમદે ક્યારે પાછું વળીને જોયું જ નથી. અને વર્ષેદહાડે તે ગુનાના પુસ્તકના પન્ના ભરતો જ રહ્યો.
વર્ષ 1992માં અલ્હાબાદ પોલીસે અતીક અહેમદનો ગુનાહિત ઈતિહાસ જાહેર કર્યો. જેમાં પોલીસે જણાવ્યું કે અતીક અહેમદની સામે યુપીના લખનઉ, કૌશામ્બી, ચિત્રકુટ, અલ્હાબાદ જ નહીં પણ બિહારમાં પણ હત્યા, અપહરણ, હપ્તા સહિતના ગુના નોંધાયેલા છે.
અતીક અહેમદ સામે સૌથી વધારે કેસ અલ્હાબાદ જિલ્લામાં જ નોંધાયેલા છે. જો આંકડાને જોઈએ તો 1986થી 2007 સુધી તેની સામે એક ડઝનથી વધારે કેસ માત્ર ગેંગસ્ટર એક્ટ અંતર્ગત નોંધાયેલા છે.
અપરાધની દુનિયામાં મોટું નામ કમાવી ચુકેલો અતીક અહેમદને સમજાઈ ચુક્યું હતું કે સત્તાની શક્તિ કેટલી મહત્વની હોય છે અને આ શક્તિને સમજ્યા બાદ જ તેણે રાજકારણમાં આવવાનું નક્કી કરી લીધું. વર્ષ 1989માં પ્રથમ વખત અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય બન્યો. ત્યારબાદ 1991થી 1993ની ચૂંટણી અપક્ષ લડ્યો અને જીત પણ મેળવી. 1996માં આ જ બેઠક પરથી અતીક અહેમદને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને ફરી તે ધારાસભ્ય બન્યો.
પરંતુ સમાજવાદી પાર્ટીમાં તે વધારે ન ટક્યો. અને 1999માં અપના દળમાં સામિલ થઈ ગયો. અને પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો પરંતુ જીત ન મળી. જોકે વર્ષ 2002માં તે અપના દળની ટિકિટ પર વિજેતા બન્યો.
પરંતુ જ્યારે 2003માં યુપીમાં સપાની સરકાર બની ત્યારે તેણે ફરી મુલાયમસિંહનો હાથ પકડી લીધો અને 2004ની લોકસભા ચૂંટણીમાં સપાએ ફુલપુરથી લોકસભાની ટિકિટ આપી. અને ડૉન અતીક અહેમદ વિજેતા બની સંસદમાં ગયો. હવે વર્ષ 2007માં યુપીની સત્તામાં માયાવતી આવી. અતીક અહેમદની સત્તા ડોલવા લાગી. તેનો ભૂતકાળ ખુલવા લાગ્યો. અને તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો.
2004માં ફુલુપુરથી અતીક અહેમદ સાંસદ બની ચુક્યો હતો. પરંતુ તેની વિધાનસભા બેઠક અલ્હાબાદ પશ્ચિમ ખાલી થઈ ચુકી હતી. આ બેઠક પર પેટા ચૂંટણી થઈ. સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી. પરંતુ બસપાના રાજૂ પાલ સામે અશરફ હારી ગયો. રાજૂ પાલ પોતાનું ધારાસભ્ય પદ માત્ર થોડાક જ મહિના ભોગવી શક્યા. 25 જાન્યુઆરી 2005માં ધોળા દિવસે ગોળી મારીને રાજૂ પાલની હત્યા કરી દેવાઈ.
આ હત્યાનો આરોપ સીધે સીધે સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર લાગ્યો હતો. આ હત્યા કરવામાં આવી ત્યારે અતીક સપામાં જ હતો. પરંતુ સપા પર ચારે બાજુથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. તમામ લોકો અતીકને બહારનો રસ્તો દેખાડવા મુલાયમસિંહ પર દબાણ લાવી રહ્યા હતા. ત્યારે મુલાયમસિંહે ડિસેમ્બર 2007માં બાહૂબલિ સાંસદ અતીક અહેમદને પાર્ટીમાંથી તગેડી મુક્યા.
ધરપકડના ડરથી બાહૂબલિ સાંસદ અતીક ફરાર હતો. તેના ઘર, કાર્યાલય સહિત 5 સ્થળોની સંપત્તિ કોર્ટના આદેશ પર જપ્ત કરી લેવાઈ હતી. અને પોલીસે અતીકની સાચી માહિતી આપનારાને રૂપિયા 20 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.
સમગ્ર દેશમાં આ મામલે એલર્ટ આપવામાં આવ્યું હતું. ધરપકડ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા. અતીક અહેમદ જાણે ડરી ગયો હતો. તેના પર ચારેબાજુથી દબાણ હતું. તેથી તેણે આત્મસમર્પણ જ ઉચિત સમજ્યું. વોરંટ નીકળ્યાના 6 મહિના બાદ તેણે દિલ્લી પોલીસ સમક્ષ સમર્પણ કરી દીધું.
અતીક અહેમદ હાલ જેલમાં બંધ છે. પરંતુ તે આ વખતે બનારસથી લોકસભા ચૂંટણી લડવા માગતો હતો. અને આ માટે તેણે જેલની અંદરથી જ ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. પરંતુ તે રદ થઈ ગયું. આ બધાની વચ્ચે યુપી સરકાર તેને અન્ય કોઈ રાજ્યમાં સિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. હાલ અતીક અહેમદ યુપીની નૈની જેલમાં બંધ છે.