વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશની જનતાને સંબોધન કરતાં 20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી. તેમાં નાણાં મંત્રાલય અને આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કર્યુ છે અને તેની સરખામણી 15 લાખ રૂપિયાના વાયદા સાથે કરી છે.
ચિદમ્બરમે ટ્વીટ કરી નિશાન સાધ્યું, કહ્યુ જોઈએ કોરો પાના કેમ ભરાય છે
ચિદમ્બરમે કહ્યું કે અમે એક એક રુપિયાનો હિસાબ કરીશું
શેરગિલે કહ્યું કે ભાજપ જનતાને ટોપી પહેરાવવા અને દિવસે તારા બતાવવામાં માસ્ટર છે
ચિદમ્બરમે ટ્વીટ કરી કહ્યું હતું કે, 'મંગળવારે વડા પ્રધાને અમને એક હેડલાઈન આપી અને ખાલી પાના છોડી દીધા. સ્વાભાવિક રીતે મારી પ્રતિક્રિયા પણ તે ખાલી પાના જેવી હશે. આજે આપણે તે કોરા પાનાને ભરવા માટે નાણામંત્રીની રાહ જોઈ રહ્યા છીએ. અમે તમામ રૂપિયાની કાળજીપૂર્વક ગણતરી કરીશું જે સરકાર ખરેખર અર્થવ્યવસ્થામાં મૂકશે. કોને શું મળે છે તેની પણ તપાસ કરીશું.
પૂર્વ નાણાં પ્રધાને કહ્યું કે પહેલી વાત એ છે કે સેંકડો કિલોમીટર ચાલ્યા પછી ગરીબ, ભૂખ્યા અને બરબાદ થઈ ગયેલા પ્રવાસી મજુર કોઈ આશા રાખી શકે છે? અમે એ ધ્યાન રાખીશું કે નીચેલા વર્ગની જનસંખ્યા(13 કરોડ પરિવાર)ને ખરેખર ધનમાં શું મળ્યું છે.
We will also carefully examine who gets what?
And the first thing we will look for is what the poor, hungry and devastated migrant workers can expect after they have walked hundreds of kilometres to their home states.
ભાજપ જનતાને ટોપીઓ પહેરવામાં અને દિવસે તારાઓ બતાવવામાં માસ્ટર છે
ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું કે તમામ જનધન ખાતાઓમાં 7500 રૂપિયા ઉમેર્યા પછી સરકારની જાહેરાતમાં જનતાનો વિશ્વાસ હશે. તેમણે એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ જનતાને ટોપીઓ પહેરવામાં અને દિવસે તારાઓ બતાવવામાં માસ્ટર છે.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે અમને આશા છે કે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ ભાજપના વચન ભંગનું બીજું ઉદાહરણ સાબિત નહીં થાય.
શેરગિલના જણાવ્યા અનુસાર, એવી આશા છે કે પેકેજ તે ફેક્ટરીમાં નથી બન્યું જ્યાં રૂ .15 લાખનું વચન આપવામાં આવ્યું હતું. ગંગાને સાફ કરવાનું વચન આપ્યું હતું. બે કરોડ નોકરીઓ આપવાનો વાયદો કરાયો હતો. તેમજ કાળા નાણાં પાછા આપવાનું વચન આપાયું હતું. જનતા હવે ત્યારે જ માનશે જ્યારે દરેક જન ધન ખાતામાં 7500 રૂપિયા ઉમેરવામાં આવશે.
તેમણે આશા વ્યક્ત કરી કે આ વખતે જનતા સાથે છેતરપિંડી નહીં થાય અને નાણાં પ્રધાન દ્વારા જાહેર કરાયેલ પેકેજ અને વડા પ્રધાનના શબ્દોને સુમેળ સધાશે. તેમજ કહેવા અને કરવામાં કોઈ ફરક પડશે નહીં.
નાણામંત્રી આજે સાંજે 4 વાગ્યે જણાવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે આ સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમાં તે જણાવશે કે 20 લાખ કરોડના આર્થિક પેકેજનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કરવામાં આવશે અને કોને આ રકમ મળશે.