કોઈ પણ વ્યક્તિ માટે સૌથી મહત્વની બાબત હોય તો તે છે તેની અને તેના પરિવારની સલામતી..પરંતુ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા હત્યાના બનાવો આપણા અને પોલીસતંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે..કેમ કે વધતી ગુનાખોરીથી ન માત્ર તંત્ર પ્રભાવિત થતું પરંતુ લોકો,બાળકો,મહિલાઓ અને સમાજ પર પણ તેની અસર પડે છે..ગુનાખોરીના કારણે સમાજ,રાજ્યમાં ડરનો માહોલ ફેલાય છે..અને આ લોકોમાં ડરનો માહોલ ન ફેલાય લોકો પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે તેની જવાબદારી સરકાર અને તંત્રની છે..સાથે સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે..જેથી કરીને ગુનાખોરી અટકે..ત્યારે આપણે આજે ચર્ચા એ બાબત પર કરીશું કે હત્યા કરવા માટે હત્યારાઓ આખરે પ્રેરાય છે કેમ? શા માટે ક્રમશ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.? આવા અસામાજિક તત્વો સામે પોલીસતંત્રએ કેવા એક્શન લેવા જોઈએ?દેશમાં,રાજ્યમાં સમાજમાં લોકો સુરક્ષિત મહેસૂસ કરે તે માટે શું પ્રયાસ સરકારે કરવા જોઈએ? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન