ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 3 કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરઝાના અધ્યક્ષતામાં આ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 3 કાર્યક્રમોનું આયોજન
શ્રમિક સહાયક હેલ્પલાઇન તથા ધનવન્તરી આરોગ્ય રથોનું લોકાર્પણ
સાથે સંપૂર્ણ તબીબી તપાસ યોજના કાર્યક્રમનો કરાયો શુભારંભ
નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ 1 સચિવાલય ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત ત્રણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં આજે શ્રમિક સહાયક હેલ્પલાઇન, 100 જેટલા ધનવન્તરી આરોગ્ય રથોનું લોકાર્પણ અને શ્રમિકોની સંપૂર્ણ તબીબી તપાસ યોજના કાર્યક્રમનો શુભારંભ કરાયો છે. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરઝાના અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
155372 ટોલ ફ્રી નંબરનું લોન્ચિંગ
આ કાર્યક્રમમાં શ્રમિક સહાય હેલ્પલાઈન '155372' ટોલ ફ્રી નંબરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શ્રમિકોને ટોલ ફ્રી નિઃશુલ્ક સલાહ અને માર્ગદર્શનની સેવા અપાશે. શ્રમિકોની ફરિયાદ યોગ્ય અધિકારીઓ સુધી સરળતાથી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોને મળવાપાત્ર લાભ અને સરકારી યોજનાને લગતી યોગ્ય માહિતી આ હેલ્પલાઈન દ્વારા પૂરી પાડવામાં આવશે. સાથે જ આ કાર્યક્રમમાં 100 જેટલા ધનવન્તરી આરોગ્ય રથોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શ્રમિકોના સ્વાસ્થ્યની થશે તપાસઃ બ્રિજેશ મેરજા
આ અંગે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરઝાએ જણાવ્યું કે, આજે ત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રમિક સહાય હેલ્પલાઈન, 100 જેટલા ધનવન્તરી રથોનું લોકાર્પણ અને શ્રમિકોની સંપૂર્ણ તબીબી તપાસનો આજે શુભારંભ કરાયો છે. શ્રમિકો માટેની ભારત સરકારની અને ગુજરાત સરકારની ખેવના, ભાવના અને એમના કલ્યાણ માટેની જે ચિંતા છે તેને ચરીતાર્થ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રમેવ જયતેનું સૂત્ર આપેલું છે, એને પણ મારો વિભાગ અનુસરે અને શ્રમિકોનું તબીબી તપાસણી તજજ્ઞ ડોક્ટર દ્વારા થાય અને તેમની સેવાનો પણ લાભ મળે એવું પણ આયોજન કરેવામાં આવ્યું છે.
100 ધન્વંતરિ રથનું બજેટમાં પ્રાવધાન થયું તેનું લોકાર્પણ કરાયુંઃ બ્રિજેશ મેરજા
બ્રિજેશ મેરઝાએ કહ્યું કે, હું મુખ્યમંત્રી અને નાણામંત્રીનો આભાર માનું છું. કે જેમણે બજેટમાં 100 જેટલા ધનવન્તરી આરોગ્ય રથોનું જે પ્રાવધાન કરવામાં આવેલું જેનું આજે અમે લોકાર્પણ કર્યું છે. સાથે જ શ્રમિક સહાય હેલ્પલાઈનને પણ ખુલ્લુ મૂક્યું છે.