શહેરમાં ટુંક સમયમાં ચુંટણી આવી રહી છે જ્યારે હવે કોર્પોરેશને તિજોરી ભરવાનું શરુ કર્યું છે. રીબેટ ટેક્સ યોજના બે વર્ષથી બંધ હતી પરંતુ ચુંટણી નજીક આવતા નાગરીકોને આકર્ષવા ફરી આ યોજનાને અમલમાં મુકવામાં આવી છે.
તિજોરીમાં રૂ.૬૬ કરોડથી વધુ ઠલવાયા છે
પ્રોપર્ટી ટેકસ કરદાતાઓને આગામી ૧પ ફેબ્રુ. સુધી આ યોજનાનો લાભ મળશે
ઝૂંપડપટ્ટીમાં ટેકસના બાકીદારોને વ્યાજમાં ૧૦૦ ટકા રાહત
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લાં બે વર્ષથી પ્રોપર્ટી ટેકસના કરદાતાઓ માટેની બાકી ટેકસ રિબેટ યોજના બંધ હતી. પરંતુ ચૂંટણી વર્ષ હોઇ ભાજપના શાસકોએ નાગરિકોને આકર્ષવા માટે વહીવટી તંત્ર પર દબાણ લાવી ફરી આ યોજના અમલમાં મૂકી છે. જોકે કરદાતાઓએ આ યોજનાને વધાવી લીધી હોય ગત તા.૧૬ જાન્યુ.થી તા.૩ ફેબ્રુઆરી સુધીમાં મ્યુનિ. તિજોરીમાં રૂ.૬૬ કરોડથી વધુ ઠલવાયા છે.
આમ તો વહીવટીતંત્ર દ્વારા કરદાતાઓને બાકી ટેકસ રિબેટનો લાભ આપવાનું બંધ કરાયું હતું. જેના કારણે મ્યુનિ. રેવન્યુ કમિટી તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક ભાજપના નારાજ સભ્યો વારંવાર રિબેટ યોજના પુનઃ શરૂ કરવા ઉગ્ર રજૂઆત કરતા હતા. આ અંગે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરાઇ હતી. ચૂંટણી વર્ષ હોઇ નાગરિકોની નારાજગી શાસક ભાજપ પક્ષને પોષાય તેમ ન હોય છેક ઉપરના દબાણથી તંત્રને ઝુકાવીને ગત તા.૧પ જાન્યુ.થી આ યોજના પુનઃ શરૂ કરાઇ છે. જે હેઠળ ઝૂંપડપટ્ટીમાં ટેકસના બાકીદારોને વ્યાજમાં ૧૦૦ ટકા અને કમર્શિયલ સહિત અન્ય મિલકતોમાં પ૦ ટકાની વ્યાજમાં રાહત અપાઇ રહી છે.
આ યોજના હેઠળ ગત તા.૧૬ જાન્યુ.-ર૦ર૦થી ગત તા.૩ ફેબ્રુ.-ર૦ર૦ સુધીમાં તંત્રને સિવિક સેન્ટરના ૬૭.૧પ૬ ટ્રાન્જેકશન રૂ.પ૮.૯૦ કરોડથી વધુની આવક, ૭૭ર૯ ઓનલાઇન ટ્રાન્જેકશનથી રૂ.૭.૦ર કરોડથી વધુની રકમની આવક મળી કુલ ૭પપ૮૩ ટ્રાન્જેકશનથી ૬૬.રપ કરોડથી વધુની આવક થઇ છે. પ્રોપર્ટી ટેકસ કરદાતાઓને આગામી ૧પ ફેબ્રુ. સુધી આ યોજનાનો લાભ મળશે