AUDA દ્વારા આયોજિત વિવિધ કાર્યોનું શાહે કર્યું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ, પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના વિધિ પ્રસંગ, બોપલમાં ઔડા દ્વારા અફોર્ડેબલ હાઉસનું લોકાર્પણ, પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ઉદ્ઘાટન કાર્યક્રમ તેમજ ઓગણજ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.
બોપલ ખાતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના આશરે ₹211 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે.. https://t.co/4DDHfOPtTg
અમિત શાહ આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યાં. અહીં તેમના હસ્તે પ્રમુખ સ્વામી નગરની કળશની સ્થાપના કરાઇ. જેમાં BAPS સંસ્થાના અનેક સંતો ઉપસ્થિત હતા. એ સિવાય અમિત શાહના હસ્તે મિશન મિલિયન ટ્રી અંતર્ગત AUDA દ્વારા આયોજિત વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.
આ સાથે બોપલમાં 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા 7.73 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અફોર્ડેબલ હાઉસિંગનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેથી 70 જેટલાં પરિવારને ઘરનું ઘર મળશે.
LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah ના શુભહસ્તે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન - વિભિન્ન વિકાસલક્ષી પ્રકલ્પોનો શિલાન્યાસ સ્થળ: મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવી, જિ. અમદાવાદ https://t.co/q1YyaU9zEY
AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન
'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા બોપલમાં તૈયાર કરાયેલ પાણી પુરવઠા યોજનાનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું. જ્યારે અંતે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' અંતર્ગત AUDA દ્વારા મણિપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધાવીનું ઉદ્ઘાટન તેમજ વિભિન્ન વિકાસ પરિયોજનાઓનું પણ અમિત શાહના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો.