બુટલેગરે કેમિકલમાં પાણી નાંખીને વેંચી દીધું, ક્રાઈમબ્રાંચે મુખ્ય આરોપી જયેશની ધરપકડ તો સંજય અને 5થી વધુ અન્ય બુટલેગરની અટકાયત કરી તપાસ શરૂ કરી
કથિત લઠ્ઠાકાંડ મુદ્દે ATS- ક્રાઈમબ્રાંચની તપાસ, તપાસમાં સામે આવ્યો ખુલાસો
લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ ! , કેમિકલમાં પાણી નાંખીને વેંચી દેવાયું
પોલીસ હત્યાનો ગુનો નોંધશે, મુખ્ય આરોપી જયેશની ધરપકડ
બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. લઠ્ઠાકાંડને લઈ ગુજરાત ATS અને ક્રાઈમબ્રાંચની સઘન તપાસ ચાલુ છે. જે બાદમાં હવે લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે. જેમાં બુટલેગરે કેમિકલમાં પાણી નાંખીને વેંચી દીધા બાદ આ ઘટના સામે આવી છે. આ તરફ હવે પોલીસ તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધશે.
લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો
બોટાદ લઠ્ઠાકાંડમાં હવે એક નવી વાત સામે આવી છે. જેમાં આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલીA MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઈમબ્રાંચે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી
લઠ્ઠાકાંડ મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી જયેશ અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતો હોવાનું ખૂલ્યું છે. જોકે પોલીસે અત્યાર સુધી સંજય અને 5થી વધુ અન્ય બુટલેગરની અટકાયત કરી છે. આ સાથે ક્રાઈમબ્રાંચે AMOS કંપનીના અન્ય કર્મચારીઓને પણ અટકાયતમાં લીધા છે. આ તરફ હવે પોલીસ તમામ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધશે.
કેમિકલ કાંડમાં 13થી વધુ લોકોની સંડોવણીને લઈને તપાસ
બોટાદ લઠ્ઠાકાંડમાં હવે ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત ATS અને ક્રાઈમબ્રાંચની ટીમો સઘન તપાસ કરી રહી છે. તેવામાં હવે ક્રાઈમબ્રાંચે મુખ્ય આરોપી જયેશની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી સંજય અને 5થી વધુ અન્ય બુટલેગરની અટકાયત પણ કરાઇ છે. તો વળી ક્રાઈમબ્રાંચે AMOS કંપનીના અન્ય કર્મચારીઓને પણ અટકાયતમાં લીધા અને કેમિકલ કાંડમાં 13થી વધુ લોકોની સંડોવણીને લઈને તપાસ શરૂ કરી છે.
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 28 લોકોના મૃત્યુ
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 28 જેટલા લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે. જેમાં આજે લઠ્ઠાકાંડમાં વધુ 10 લોકોના મોત થતાં મૃતાંક વધીને 28 થઈ જવા પામ્યો છે. બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે. પ્રાથમિક વિગતો મુજબ બોટાદ, ભાવનગર, અમદાવાદના મળીને 28 લોકોના મૃત્યુ થયા છે.