ત્રિપુરા હિંસાની આગ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. ત્રિપુરામાં થયેલી હિંસામાં વિરોધમાં અમરાવતીમાં બે દિવસથી બબાલ ચાલી રહી છે. આખરે અહીં ધારા 144 લાગુ કરવાની ફરજ પડી હતી.
ત્રિપુરાનો મામલો મહારાષ્ટ્ર પહોંચ્યો
અમરાવતીમાં હિંસક પ્રદર્શન
અમરાવતીમાં બે દિવસથી બબાલ ચાલી રહી છે
બે દિવસથી ચાલી રહી છે બબાલ
ત્રિપુરા હિંસાની આગ હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. ત્રિપુરામાં થયેલી હિંસામાં વિરોધમાં અમરાવતીમાં બે દિવસથી બબાલ ચાલી રહી છે. શુક્રવારે અમરાવતીમાં ત્રિપુરા હિંસાના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનોએ શનિવારે બંધ જાહેર કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ જબરું તોફાન મચાવ્યું હતું. તેને રોકવા માટે પોલીસ લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અમરાવતીમાં ધારા 144 લાગુ કરવામાં આવી હતી.
Maharashtra | Section 144 has been imposed in Amravati in view of protests against Tripura violence, Amravati's guardian minister Yashomati Thakur said
તેજતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેળ હુમલાઓના વિરોધમાં ત્રિપુરામાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. એવા આરોપો લાગ્યા હતા કે આ પ્રદર્શનો દરમિયાન મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ ત્રિપુરામાં મોટાપાયે સાંપ્રદાયિક હિંસા જોવા મળી હતી. મહારાષ્ટ્રમાં અમરાવતી સહિત કેટલાક શહેરોમાં પણ હિંસા વિરુદ્ધ પ્રદર્શનો થયા હતા.
અમરાવતીમાં હિંસક પ્રદર્શન
શુક્રવારે અમરાવતીમાં ત્રિપુરા મામલે કેટલાક મુસ્લિમ સંગઠનોએ ભેગા થઈને તોફાન મચાવ્યું હોવાના સમાચાર મળ્યા હતા. જેના વિરુદ્ધ ભાજપ અને હિન્દુ સંગઠનોએ અમરાવતી બંધની અપીલ કરી હતી.
તમામ હિન્દુ અને ભાજપના કાર્યકર્તા રાજકમલ ચોક પર એકઠા હતા. ત્યાર બાદ બેકાબૂ થયેળ ટોળાંએ તોડફોડ શરૂ કરી હતી. ટોળાને કાબૂ કરવા માટે પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. પોલીસે તોફાન મચાવનાર લોકો પર લાઠીચાર્જ અને નિયમ ધારા 144 લગાડી દીધો હતો.
ત્રિપુરાનો મામલો મહારાષ્ટ્ર પહોંચ્યો
ત્રિપુરામાં હિંસાના વિરોધમાં મહારાષ્ટ્રના નાંદેડ, અમરાવતી અને માલેગાંવમાં જોરદાર વિરોધ થયો હતો. અહીં મુસ્લિમ સંગઠનોએ બંધનું એલાન કર્યું હતું. પરંતુ આ દરમિયાન જોરદાર હોબાળો મચ્યો હતો અને જબરદસ્તી દુકાનો બંધ કરાવવામાં આવી હતી.
We condemn protests&violence happening in Maharashtra. Tripura Police have exposed fake photos posted on social media.I appeal to people of Amravati to maintain social harmony&peace.There should be action against leaders giving inciting speeches: Maharashtra LoP Devendra Fadnavis pic.twitter.com/5rPC7wx2dK
આ મામલે મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવિશે કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાની નિંદા કરીએ છીએ. ત્રિપુરા પોલીસે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા નકલી ફોટાનો પર્દાફાશ કર્યો છે. હું અમરાવતીના લોકોને સામાજિક સૌહાર્દ અને શાંતિ જાળવવા અપીલ કરું છું. સાથે તેમણે કહ્યું હતું કે ઉશ્કેરણીજનક ભાષણ કરનારા નેતાઓ સામે કાર્યવાહી થવી જોઈએ