રાજ્યમાં મહા વાવાઝોડાને લઈને રાહતના સમાચાર છે. મહા વાવાઝોડાનો ગુજરાત પરથી ખતરો ટળી શકે છે. મહા વાવાઝોડું ગુજરાતમાં ન આવે તેવી શક્યતા છે. મહા વાવાઝોડું દરિયામાં જ દિશા બદલે તેવી શક્યતા છે. હાલમાં મહા વાવાઝોડું દિશા બદલી રહ્યું છે. આગામી દિવસોમાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે.
મહા વાવાઝોડાને લઈને રાહતના સમાચાર
વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા
દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
લક્ષદ્વીપથી ઉદભવેલુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે છે. જો કે, વાવાઝોડાના એંધાણ વચ્ચે રાજ્યમાં તંત્ર એલર્ટ થયુ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાના કારણે દરિયા કિનારે પવન ફૂંકાઈ શકે છે અને સામાન્ય વરસાદ આવે તેવી પણ શક્યતા છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મહા વાવાઝોડું ગુજરાતને અસર નહીં કરે. વાવાઝોડું દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે. પરંતુ ધીરે ધીરે નબળું પડી જશે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહા વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ આવી નબળું પડી જશે. મહા વાવાઝોડું દીવથી 540 કિમી દૂર છે.
4 તારીખ પછી બદલાશે દિશા
અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું સક્રિય થયું છે. વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા 6 કલાકમાં 9 કિમી પ્રતિકલાકની સ્પીડથી વાવાઝોડું આગળ વધીર રહ્યું છે. ત્યારે વાવાઝોડું વેરાવળથી 570 કિમી દૂર અને ગોવાથી 500 કિમી દૂર છે. મહા વાવાઝોડું 4 તારીખ સુધી પશ્ચિમ દિશામાં આગળ વધશે. અને 4 તારીખ પછી વાવાઝોડાની દિશા બદલાશે.
NDRF ની ટીમ સજ્જ
રાજ્યમાં મહા વાવાઝોડાના પદલે NDRFની ટીમ સતર્ક થઇ ગઇ છે. હાલ NDRFની 15 ટીમોને એલર્ટ કરાઇ છે. સાથે જ સોમનાથ અને વેરાવળ તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. પોરબંદર, પોરંબદર, વેરાવળ, સોમનાથ, અમરેલી અને જામનગર સહિતના દરિયા કાંઠે NDRFનું એલર્ટ છે. 6થી 7 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાના દરિયા રાંઠા પર ભારે વરસાદની શક્યતા છે.
ઉનાના દરિયામાં બોટ ડૂબી
અરબી સમુદ્રમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે ઉનાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારે બોટ ડૂબી. સૈયદ રાજપરા ગામ પાસે દરિયા કિનારે બોટ ડૂબી હતી. બંદરે પરત ફરી રહેલા બોટે જળસમાધી લીધી હતી. આ બોટમાં 8 જેટલા ખલાસીઓ હતા. બોટ ડૂબતા તમામ ખલાસીઓને અન્ય બોટથી બચાવવામાં આવ્યા..