અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામકાજ હવે શરૂ થવાના આરે છે અને મુખ્ય આર્કિટેક્ટની ટીમે બાંધકામની વ્યવસ્થા જોઈ હતી.
મંદિર નિર્માણ માટે કામકાજ શરૂ થઈ ચૂક્યું છે
અયોધ્યામાં 15 ફૂટ પાયાનું ખોદકામ થઈ ચૂક્યું છે
મંદિર નિર્માણ માટે નિધિ એકઠી કરી રહેલાને અખિલેશ યાદવે કહ્યા ચંદાજીવી
અયોધ્યામાં રામ જન્મભૂમિ બંધાનારા મંદિર માટે 15 ફૂટ જેટલું પાયાનું ખોદકામ થઈ ચૂક્યું છે. ટ્રસ્ટના ખાતામાં છેલ્લા અમુક દિવસોમાં લગભગ 1000 કરોડ રૂપિયાનાન ચેક જમા થઈ ચૂક્યા છે અને મંદિરના 37 હજાર કાર્યકર્તાઓ પાસે પણ મોટી સંખ્યામાં ચેક ઉપલબ્ધ છે. જેને જમા કરાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
અખિલેશ યાદવે આપ્યું વિવાદિત નિવેદન
આ દરમિયાન યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક એવું નિવેદન આપ્યું છે જેના પર વિવાદ શરૂ થઈ ગયો છે, મહત્વનું છે કે અખિલેશ યાદવે મંદિર માટે નિધિ એકઠા કરી રહેલા કાર્યકર્તાઓને ચંદાજીવી કહ્યા હતા, જો કે આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતુંન કે ભગવાન રામ સૌપ્રથમ તેમને સદબુદ્ધિ આપે, કેમ કે ભગવાન રામમાં શ્રદ્ધા રાખવા વાળા બધા લોકો મંદિર નિર્માણ માટે આર્થિક સહયોગ કરી રહ્યા છે અને તેને લઈને કોઈ પણ વર્ગમાં કોઈ મતભેદ નથી.
40 ફૂટ ઊંડો હશે મંદિરનો પાયો
ચંપત રાયે વધુમાં જણાવ્યું હતું કે મંદિરનો પાયો 40 ફૂટ ઊંડો હશે. 15 ફૂટ સુધીની પાયાનું ખોદકામ થઈ ચૂક્યું છે. મંદિર પરિસરમાં ભારે વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને, 400 ફુટ માટી પશ્ચિમથી પૂર્વ તરફ અને ઉત્તરથી દક્ષિણ તરફ 250 ફૂટ માટી કાઢવામાં આવી રહી છે.
મુખ્ય આર્કિટેક્ટ સોમપુરાની ટીમે વ્યવસ્થા જોઈ
બુધવારે મંદિરના આર્કિટેક્ટ નિખિલ સોમપુરાએ તેમની ટીમ સાથે મંદિર નિર્માણ વર્કશોપમાં કોતરવામાં આવેલા પત્થરોનું નિરીક્ષણ કર્યું હતું. ટીમે વર્કશોપમાંથી કોતરવામાં આવેલા પત્થરને સ્થળે પરિવહન કરવા અને બાકીના પત્થરોને શિલ્પ બનાવવા માટે 70 એકરના મંદિર સંકુલમાં નવી વર્કશોપની તૈયારીની પણ સમીક્ષા કરી હતી.