ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ડેલકરની સુસાઈડ નોટ જાહેર કરવા માગણી કરી છે. મહારાષ્ટ્ર પોલીસ સુસાઈડ નોટ જાહેર કરે તેવી માગ કરી છે.
દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના આપઘાતનો મામલો
સત્તાવાર લેટરપેડ પર લખી હતી 15 પાનાની સુસાઈડ નોટ
સુસાઈડ નોટ ગુજરાતી ભાષામાં લખવામાં આવી હતી
દાદરા નગર હવેલીમાંથી સાત વખત સાંસદ રહેલા ડેલકરની આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી. પરંતુ તેમણે સ્યૂસાઈડ પહેલા 15 પાનાની લખેલી નોટમાં 40 વ્યક્તિઓના નામ ટાંક્યા છે. પોલીસની તપાસમાં કોના નામ ખૂલે તે અટકળનો વિષય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર મોહન ડેલકરે સંસદમાં આપેલા એક નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે પોતાને થતી હેરાનગતિનો ઉલ્લેખ કર્યો છે. જોઈએ સ્યુસાઈડના તારના જોડાણ જેવા ડેલકરના આ નિવેદનનો આ વિડિયો કોના તરફ ઈશારો કરી રહ્યો છે.
ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ડેલકરની સુસાઈડ નોટ જાહેર કરવા માગણી કરી છે. મહારાષ્ટ્ર પોલીસ સુસાઈડ નોટ જાહેર કરે તેવી માગ કરી છે.
તો આ તરફ સાંસદ ડેલકરના મૃત્યુની તપાસ મહારાષ્ટ્ર સરકાર કરશે. ડેલકરે સ્યૂસાઇડ નોટમાં મહારાષ્ટ્ર સરકાર પાસે આશા વ્યક્ત કરી છે. ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર પાસે ન્યાયની અપેક્ષા હોવાની વાત છે. 7 વખતના સાંસદ મુંબઇ આવે છે અને આપઘાત કરે છે. મને નથી લાગતુ કે કોઇ અધિકારીના કારણે સાંસદ આપઘાત કરે છે. ત્યારે D&Nના ભાજપના પ્રફુલ્લ પટેલનું નામ સામે આવી રહ્યું છે. જેથી તમામ એંગલની તપાસ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંત મહારાષ્ટ્રના ગૃહમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જેમાં તેઓએ આ રજૂઆત કરી હતી. ત્યારે વીડિયો કોન્ફરન્સમાં વાતચીત દરમિયાન અનિલ દેશમુખે તપાસની ખાતરી આપી છે. તો આ વચ્ચે મોહન ડેલકરે સંસદમાં આપેલું નિવેદન પણ વાયરલ થયું છે.
દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો લોકસભાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ અધિકારીઓ હેરાન કરતા હોવાની રજૂ આત કરી છે. ડેલકરે કહ્યું કે અધિકારીઓએ મને બદનામ કર્યો છે. મારી વિરુદ્ધ ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. કોરોના સમયે મને લોકોની મદદ કરતા રોકવામાં આવ્યો. દમણ મુક્તિ દિવસ પર મને સંબોધન ન કરવા દેવાયું.