ગુજરાતી હાસ્ય લેખક સાહિત્યમાં સૌથી મોટું નામ ધરાવતા વિનોદ ભટ્ટનુ અવસાન થયુ છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી વિનોદ ભટ્ટ બિમાર હતા.
જ્યારે હવે 80 વર્ષની ઉમરમા તેમનુ અવસાન થયુ છે. ગુજરાતી હાસ્ય લેખક વિનોદ ભટ્ટનુ અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને અવસાન થયુ છે.
વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી 1938માં નાંદોલમાં થયો હતો. તેઓ અનેક શ્રેષ્ઠ રચનાઓ માટે વિખ્યાત બન્યા હતા. આ ઉપરાંત તેઓ 1996થી 1997 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા હતા.