લતાજીએ સુપર સ્ટારની કે. એલ .સાયગલ ફિલ્મ ચંડીદાસ ( 1934) જોઇને પરત ફર્યા ત્યારે તેમણે નક્કી કર્યું કે, તેઓ કુંદનલાલ સાયગલ સાથે લગ્ન કરશે. પણ તેઓ ક્યારેય સાયગલને મળી ના શક્યા
લતાજીનો બાલ્યાવસ્થામાં પ્રેમ
લગ્ન કરવા માંગતા હતા લતાજી
'ડ્રીમ બોય 'સાથે ક્યારેય મુલાકાત ના થઇ
6 ફેબ્રુઆરી-2022નો દિવસ ભારતના 'સ્વરોનભ'માં કાલીમા લાવ્યો છે. સ્વર કિન્નરીના ઉપનામથી જાણીતા લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. ફિલ્મ જગતમાં મહોમ્મદ રફીને રાખડી બાંધવા છતાં તેમની સાથે ચાર વર્ષના અબોલા અને સત્યમ શિવમ સુંદરમ વખતે રાજ્ક્પૂરથી રૂઠેલા લતા દીદી આ સિવાય ક્યારેય કોઈ વિવાદમાં નથી આવ્યા. એક રાજસિંહ ડુંગર પૂર સાથે પ્રેમની વાયકા ઉડી પણ પછી આજીવન તેઓ મિત્ર તરીકે જ રહ્યા. પણ તન્મે જાણો છો, લતાજીને કોઈની સાથે લગ્ન બંધનમાં બંધાવું હતું ?
લતાજી સાયગલ સાથે લગ્ન કરવા માંગતા હતા
લતાજી માત્ર પાંચ જ વર્ષના હતા.ત્યારે એ જમનાના સુપર સ્ટારની એક ફિલ્મ જોઈ હતી સુપર સ્ટાર કે. એલ .સાયગલ એટલે કે કુંદનલાલ સાયગલ . જ્યારે લતાજીએ કે એલ સાયગલની ફિલ્મ ચંડીદાસ ( 1934) જોઇને પરત ફર્યા ત્યારે તેમને કહ્યું કે તેઓ સાયગલ સાથે લગ્ન કરશે. ત્યારે ભલે લતાજીની ઉમર માત્ર પાંચ વર્ષ હતી પણ તેમણે મનોમન સાયગલને પસંદ કરી લીધા હતા. અને તેઓ સાયગલ સાથે લગ્ન કરવાના ઓરતા સેવી રહ્યા હતા. જો કે, સાયગલની ક્યારેય મુલાકાત લતાજી સાથે થઇ નાં શકી .પરંતુ સાયગલના નિધન પછી લતા મંગેશકર તેમને ત્યાં પહોચ્યા અને સાયગલની એક વીંટી માંગી લીધી હતી. આ વીંટીને તેઓએ જીવન ભર સાચવી રાખી હતી