સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરે રવિવારે દુનિયાને અલવિદા કહી દીધી છે. પરંતુ તેમની યાદો અને સૂર હંમેશા લોકોની વચ્ચે રહેશે.. જોકે સૂરસામ્રાજ્ઞીના નિધનના સમગ્ર વિશ્વમાં પડઘા પડ્યા છે.. અને તેમના ચાહકો તેમને અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.. આવો જ એક પરિવાર રાજકોટમાં પણ છે જેમણે આગામી દિવસોમાં સૂરસામ્રાજ્ઞી લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપતા તેમનુ એક સ્મૃતિ મંદિર બનાવવાની જાહેરાત કરી છે.
રાજકોટ માં ભારતરત્ન લતામંગેશકર ની યાદમાં બનશે લતાજી નું મંદિર
રાજકોટ સૌરાષ્ટ્રમાં કલાજગત ની વાત કરી એ તો પ્રથમ હરોળ માં જાણીતા મ્યુઝીસિયન અને ગાયક ભુપેન્દ્રભાઈ વસાવડાનું નામ આવે જ અને આ ભુપેન્દ્ર વસાવડા પોતાની સંગીત સાધના ના ગુરુ તરીકે લતા મંગેશકરને સ્થાન આપ્યું હતું અને ગુરુ શિષ્યની જેમ લતાદીદી અને ભુપેન્દ્રભાઈ અને તેમના પત્ની ભારતીબેન વચ્ચે પારીવારિક નાતો બંધાયોહતો તેથી જ લતાજીના નિધન ના સમાચાર મળતા રાજકોટના આ વસાવડા પરિવાર વ્યથિત થઈ ગયો હતો.
વર્ષ 1954માં લતાદીદી સાથે થઈ હતી મુલાકાત
અમદાવાદ માં 1954માં એક ગીત સ્પર્ધામાં રાજકોટ ના ભુપેન્દ્ર વસાવડા વિજેતા થતાં લતાદીદીના હસ્તે પ્રથમ ઇનામ મળ્યું ત્યારથી જ લતાજીને ભુપેન્દ્રવસાવડાએ ગુરુ માન્યા હતા પછી સંગીત અને ગાયનમાં પ્રગતિ કરતા કરતા ભુપેન્દ્ર વસાવડાનું નામ આગળ પડતું બન્યું હતું. ભુપેન્દ્ર ભાઈના મંદિર માં અન્ય ભગવાનની જેમ લતાજીના ફોટાનું સ્થાન છે અને કાયમી પૂજા પણ તેઓ કરે છે પણ જયારે લતાજી આ ફાની દુનિયા છોડી પ્રભુધામમાં પહોંચ્યા ત્યારે લતાજીને પોતાના પ્રેરણામૂર્તિ ગણતા ભુપેન્દ્રભાઈ વસાવડા એ લતાજીની અત્યેષ્ઠી સમયે રાજકોટમાં લતાજીનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે અને નવોદીત કલાકાર અને સંગીતપ્રેમીઓને પ્રેરણાશક્તિ પ્રાપ્ત થાય તે ધ્યેય સાથે રાજકોટના કલાકાર ભુપેન્દ્રભાઈ વસાવડા એ લતા મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે આમ રાજકોટ ના આ કલાકાર ખરા અર્થ માં લતાજી ને કહે છે તુમ મુજે યૂ ભુલાના પાઓગે.