લતા મંગેશકરના મોતની અફવા સોશિયલ મીડિયામાં ફેલાતા ખળભળાટ મચ્યો છે. આખરે તેમના પ્રવક્તાએ ખુલાસો આપવા સામે આવવું પડ્યું છે.
સોશિયલ મીડિયા પર ઉડી લતાની મોતની અફવા
હોસ્પિટલ અને પ્રવક્તા ખુલાસો આપવા સામે આવ્યાં
લતાની તબિયત સારી છે અને ટ્રિટમેન્ટ સારો પ્રતિસાદ આપી રહ્યાં છે
લતા મંગેશકર છેલ્લા 15 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમના હેલ્થ અંગે લોકો જાતજાતની અફવા ફેલાવી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયામાં લતા મંગેશકરના મોતની અફવા ઉડી છે. આવી સ્થિતિમાં લોકો સાચી વાત જાણવા માગે છે. ત્યારે હવે તેમના પ્રવક્તા અને બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા ખુલાસો બહાર પડાયો છે.
Heartfelt request for the disturbing speculation to stop.
Update from Dr Pratit Samdani, Breach Candy Hospital.
Lata Didi is showing positive signs of improvement from earlier and is under treatment in the ICU.
We look forward and pray for her speedy healing and homecoming.
લતા મંગેશકરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી હેલ્થ અપડેટ જારી કરાયું
લતા મંગેશકરના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી તેમનું હેલ્થ અપડેટ જારી કરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલના ડોક્ટરને ટાંકીને નિવેદન જારી કરવામાં આવ્યું છે. હોસ્પિટલ અને પ્રવક્તા જારી નિવેદનમાં કહેવાયું કે લત્તાની તબિયત સારી છે અને તેઓ ટ્રીટમેન્ટનો સારો જવાબ આપી રહ્યા છે, તેમની તબિયતમા દેખીતો ફેરફાર જોવા મળી રહ્યો છે અને ચિંતાનું કોઈ કારણ નથી.
લતાની તબિયત સુધારા પર, ટ્રીટમેન્ટનો સારો જવાબ આપી રહ્યાં છે
લતા મંગેશકરના ટ્વિટર હેન્ડલ પરથી કહેવાયું કે પરેશાન કરનારી અટકળો પર વિરામ મૂકવા દિલથી વિનંતી. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટર પ્રતીત સમદાણીનું અપડેટ. લત્તા દીદીમાં પહેલા કરતા વધારે સુધારો દેખાઈ રહ્યો છે અને તેમની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે. અમે તેમના જલદી સાજા થવાની અને ઘર વાપસીની કામના અને પ્રાર્થના કરીએ છીએ.
Request from Lata Didi’s family to not spread rumours. She is responding well to treatment and god willing will return home soon. Let us avoid speculation & continue to pray for Lata Didi’s speedy recovery and wellbeing. pic.twitter.com/1HQlULjV8j
લતાના મોતની અફવા ઉડતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યા છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર એક સંદેશ શેર કરતા લખ્યું કે આપણે બધાએ લતા દીદીના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરવી જોઈએ. ઈરાનીએ બ્રીચ કેન્ડીના ડોક્ટરનો સંદેશ પણ શેર કરતા જણાવ્યું કે તમે લતા દીદીની સારી સારવાર કરી રહ્યાં છો. લખ્યું છે કે લતા દીદીની તબિયતમાં પહેલા કરતા વધારે સુધારો આવી રહ્યો છે. હાલમાં તેઓ આઈસીયુમાં છે અને અમે તેમની ઘર વાપસીની પ્રાર્થના કરી રહ્યાં છીએ.