ભારતીય ફિલ્મ સંગીતમાં સાત દાયકાથી અભૂતપૂર્વ યોગદાન માટે સ્વર કોકિલા લતા મંગેશકરને 'ડૉટર ઑફ ધ નેશન' નો ખિતાબ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરને 90માં જન્મદિવસ પર તેમણે આ સન્માન આપશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખાસ પ્રસંગ માટે ગીતકાર અને કવિ પ્રસૂન જોષીએ ખાસ ગીત લખ્યુ છે.
લતાજીના ફેન છે PM મોદી:
સૂત્રોનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લતા મંગેશકરના ફેન છે. લતા મંગેશકર ભારતના તમામ અવાજોનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સન્માનિત કરવુ એટલે દેશની દિકરીને સન્માનિત કરવા જેવુ છે. લતા મંગેશકરના 90માં જન્મદિવસે આ ખિતાબ આપવામાં આવશે.
લતાજીએ 40ના દાયકામાં ગીત ગાવાનું શરૂ કર્યુ:
મધ્યપ્રદેશના ઇંદોરમાં જન્મેલા લતા મંગેશકરે ગીત ગાવાની શરૂઆત 40ના દાયકામાં શરૂ થયુ, ત્યારે તેઓ 13 વર્ષના હતા. લતાજીએ પહેલુ ગીત મરાઠી ફિલ્મ કિતી હસાલ (1942) માટે રેકોર્ડ કર્યુ હતુ, જેણે ફાઇનલ કટ પહેલા હટાવી દીધુ હતુ. 1943માં આવેલી મરાઠી ફિલ્મ 'ગજાભાઉ' માં તેમણે હિંદી સોંગ 'માતા એક સપૂતની દુનિયા બદલ દે' માં અવાજ આપ્યો હતો. આ તેમનું પહેલુ સોંગ માનવામાં આવે છે, ત્યારથી તેઓ સતત ગાઇ રહ્યા છે.
ભારત રત્ન અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યા:
લતાજીએ ગાયકીની દુનિયામાં મહત્વનું યોગદાન કર્યુ, આ માટે તેમણે 3 નેશનલ એવોર્ડ ( ફિલ્મ પરિચય માટે 1972માં, કોરા કાગઝ માટે 1974માં અને લેકિન માટે 1990)માં મળ્યા છે. ભારત સરકારે તેમણે પદ્મ ભૂષણ (1969), દાદા સાહેબ ફાળકે (1989), પદ્મ વિભૂષણ (1999) અને ભારત રત્ન (2001)થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાનૂ મંડલ પર લતાજીની પ્રતિક્રિયા:
એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે રાનૂ મંડલ માટે વાત કરી છે. એમને કહ્યું, 'જો મારા નામ અને કામથી કોઇનું સારું થાય છે તો હું મારી જાતને ખુશનસીબ માનું છું. પરંતું એવું પણ હું મહેસૂસ કરું છું કે નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા મળી શકતી નથી. કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોસલે અને મુકેશના ગીત ગાઇને આકાંક્ષી ગાયકોને થોડાક સમય માટે અટેન્શન મળે છે પરંતુ એ લાંબા સમય સુધી રહેતી નથી.'