લતા દીદી ક્રિકેટના જબરા શોખીન હતા એ તો સૌ કોઈ જાણે છે. વર્લ્ડકપ વિજેતા ટીમને તેમણે જુસ્સો પણ આપ્યો હતો. પણ એક વાર ધોનીના એક નિર્ણયથી લતા દીદી વ્યથિત થયા હતા.
લતા દીદીનો ક્રિકેટ પ્રેમ જાણીતો છે
ધોનીના એક નિર્ણયથી નારાજ થયા હતા લતા દીદી
ટ્વિટ કરીને ધોનીને કરી હતી વિનંતી
લતા દીદીનો ક્રિકેટપ્રેમ
લતા મંગેશકરના નિધનથી ખેલ જગત પણ શોકમાં છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેમનું ક્રિકેટ પ્રત્યેનું પેશન કેટલું હતું. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત બાદ તેણે ખાસ કોન્સર્ટ કરીને ખેલાડીઓના પૈસા એકઠા કર્યા હતા. આ ઉપરાંત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે તેનો પ્રેમ અને લાગણી કોઈનાથી છૂપી નથી.
ટ્વિટ કરીને ધોનીને ખાસ વિનંતી કરી હતી
લતા મંગેશકર પણ મહેન્દ્ર સિંહ ધોનીના નિવૃત્તિના સમાચાર પર ખૂબ જ દુખી હતા. તેણે એક ટ્વિટ કરીને ધોનીને નિવૃત્તિ વિશે ન વિચારવાની વિનંતી પણ કરી હતી. જુલાઈ 2019માં ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ પછી ધોનીના સંન્યાસના સમાચાર આવવા લાગ્યા. આ સાંભળીને લતા મંગેશકર બેચેન થઈ ગયા. આ પછી, તેમણે 11 જુલાઈના રોજ એક ટ્વિટ કર્યું. જેમાં તેમણે ધોનીને સંન્યાસ ન લેવા કહ્યું હતું.
લતા મંગેશકરે પોતાના ટ્વિટમાં લખ્યું, 'પ્રિય ધોનીજી, આજે હું સાંભળી રહી છું કે તમે સંન્યાસ લેવા માગો છો. મહેરબાની કરીને એવું ન વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને મારી વિનંતી પણ છે કે તમે તમારા મનમાં નિવૃત્તિનો વિચાર ન લાવો. તમને જણાવી દઈએ કે લતા મંગેશકરે 5000 થી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. તેઓ પોતે ક્રિકેટના જબરા ફેન હતા.
ક્રિકેટ બોર્ડ માટે કોન્સર્ટથી લતાએ જમાં કર્યા હતા પૈસા
લતા મંગેશકર (Lata Mangeshkar) ગાયિકી સિવાય ક્રિકેટમાં પણ ખાસ દિલચસ્પી રાખતા હતા. સુરોની મલ્લિકા પોતાના ખાલી સમયમાં તો રિયાઝ કરતા હતા કે પછી પોતાની મનપસંદ ક્રિકેટ મેચ જોવાનું પસંદ કરતા હતા. લતાજી 1983માં લોર્ડ્સનાં મેદાનમાં થયેલ ગૌરવશાળી વર્લ્ડ ક્રિકેટ કપની જીતના સાક્ષી પણ રહ્યા છે. આ પરથી તમે સમજી શકો છો કે કેટલી હદ સુધી તેમને ક્રિકેટ પસંદ હતું. ઇન્ડિયન ક્રિકેટ ટીમને તેમણે જુસ્સો આપ્યો હતો તથા મેચના રોમાંચક ક્ષણોમાં તેઓ તણાવમાં પણ આવી ગયા હતા.
આવો, જણાવીએ વર્ષો જૂની ક્રિકેટ તથા સૂરની લવ સ્ટોરી. ભારતના પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરે ખુદ દર્શક દીર્ઘમાં બેસીને તાળીઓ વગાડતા 1983નાં એ રોમાંચક પળોને જીવ્યા હતા. બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં લતાએ કહ્યું હતું કે 'તણાવથી ભરેલ માહોલ હતો, પરંતુ જેમ જેમ મેચનો અંતનો પડાવ આવવા લાગ્યો, મને ભારતની જીત પર પૂરો ભરોસો થઇ ગયો હતો. જોકે ક્રિકેટમાં કઈ કહી ન શકાય કે ક્યારે મેચ પલટી જાય.' લતા મંગેશકરે જણાવ્યું હતું કે આખી ક્રિકેટ ટીમ મેચ પહેલા મને મળી હતી. દરેક ક્રિકેટર એ જ કહી રહ્યો હતો કે મેચ આપણે જ જીતીશું. મને યાદ છે કે મેં તેમને પૂછ્યું પણ હતું કે તમને શું લાગે છે. ટીમે પુરા વિશ્વાસથી કહ્યું હતું કે જીતી જશું તથા ઈતિહાસ પણ રચાઈ ગયો, આ ખૂબ મોટી વાત હતી.' લતાજીએ આગળ જણાવ્યું કે જ્યારે ટીમે મેચ જીતી લીધી તો ક્રિકેટ બોર્ડ પાસે પૈસા ન હતા, એટલે એક સ્પેશિયલ કોન્સર્ટ કર્યું.