સ્વર કોકિલા લતા મંગેશકરે હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. લતા મંગેશકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. લતા મંગેશકરને કોરોના થયો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
લતા મંગેશકરે દુનિયાને અલવિદા કહી દીધુ
'એ મેરે વતન કે લોકો' ગીત સાથે જોડાયેલો રસપ્રદ કિસ્સો
આ ગીત સાંભળી PM જવાહરલાલ નેહરૂની આંખોમાં આવ્યાં હતા આંસુ
'એ મેરે વતન કે લોકો' ગીત શહીદોની યાદ અપાવે છે
26 જાન્યુઆરી હોય કે 15 ઓગષ્ટ લોકોમાં દેશભક્તિનો જોશ ભરનારું ગીત 'એ મેરે વતન કે લોકો જરા આંખ મે ભર લો પાની' આજે પણ દેશ માટે કુરબાન થયેલા શહીદોની યાદ અપાવે છે. આ ગીત સાંભળવામાં જેટલુ ભાવુક છે, ગીત પણ એટલું ભાવુક હતુ. ખરેખર, લોકોની આંખોમાં આંસૂ લાવનારા આ ગીતે જાતે લતા મંગેશકર અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની આંખો પણ ભીની કરી હતી.
જાણો આ ગીત સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો
આ ગીતનો એક કિસ્સો દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથે જોડાયેલો છે. લતાજીએ જ્યારે આ ગીતને નેશનલ સ્ટેડિયમમાં નહેરૂની સામે ગાયુ તો નહેરૂની આંખોમાં આંસુ આવી ગયા. લતાજીના અવાજમાં આ ગીતને સાંભળ્યા બાદ નહેરૂજી ગાયિકા સાથે વાત કરવા ઈચ્છતા હતા. જેને કારણે લતાજી ખૂબ ગભરાઈ ગયા હતા. કારણકે તેમને લાગતુ હતુ કે તેમનાથી કોઈ ભૂલ થઇ છે. પરંતુ જ્યારે તે પંડિતજીને મળી તો નહેરૂજીની આંખોમાં આસુ આવી ગયા. આ દરમ્યાન તેમણે લતા દીદીને કહ્યું કે તમે તો મને રડાવી નાખ્યો. એટલું જ નહીં, તેમણે એવુ પણ કહ્યું કે જે આ ગીતથી પ્રેરિત થતા નથી તેઓ મારા વિચારથી હિન્દુસ્તાની નથી.
કોને ખબર હતી કે આ ગીત એક દિવસ ઈતિહાસ બની જશે?
એ મેરે વતન કે લોગો આ ગીત આજે પણ લોકોની વચ્ચે ખાસ છે. આ સાંભળતા જ દેશવાસીઓની અંદર જોશ અને ઝૂનુન દોડવા માંડે છે. આ ગીત સાંભળવામાં જેટલુ ખાસ છે, તેટલુ ખાસ રીતે તેને લખવામાં પણ આવ્યું હતુ. કહેવાય છે કે આ ગીતના કવિ પ્રદીપ મુંબઈના માહીમ બીચ પર ફરી રહ્યાં હતા. આ દરમ્યાન ફરતા-ફરતા તેમના મગજમાં ગીતના આ શબ્દ આવ્યાં. પરંતુ ત્યારે તેમની પાસે કલમ પણ નહોતી અને કાગળ પણ નહોતુ. એવામાં તેમણે તેની બાજુમાંથી પસાર થઇ રહેલા એક અજાણ્યા માણસ પાસેથી પેન માંગી અને સિગરેટના બોક્સના એલ્યુમિનિયમ વરખ પર આ ગીતના બોલને લખ્યા હતા. કોણ જાણતુ હતુ કે સિગરેટના બોક્સના પેકેટ પર લખેલું આ ગીત એક દિવસ ઈતિહાસ બની જશે.