લતા મંગેશકરના દેહાવસાનને પગલે દેશ શોકમગ્ન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ રહ્યો લતા તાઈનો ખાસ સંબંધ. માતા હિરાબાને ગુજરાતીમાં લખ્યો હતો પત્ર.
PM મોદીના માતાને લતાજીએ ગુજરાતીમાં લખ્યો હતો પત્ર
પ્રધાનમંત્રી મોદીના ભવિષ્યની કરી હતી શુભકામનાઓ
આજે સવારે લતાજીનું થયું હતું નિધન
સૂર સામ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી. આ સાથે જ સંગીતના યુગનો અંત આવ્યો. આવા દુ:ખના સમયે દુનિયાભરના લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લતા દીદી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતા. લતાજીએ પીએમ મોદીની માતા હીરા બાઈને પત્ર મોકલ્યો હતો, જેથી તેમની ભાવનાઓને સમજી શકાય.
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર લતા મંગેશકરે હીરા બાને પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું.
પત્રમાં લતાજીએ હિરાબાને લખ્યા હતા ભાવૂક શબ્દો
પત્રમાં લખાયેલા ભાવૂક શબ્દો પરથી સમજી શકાય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેઓ કેટલો સ્નેહ કરતા અને તેમના ભવિષ્યની સાથે પરિવાર પણ નજીકનો સંબંધ ધરાવતા હતા.
આજે શું કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ?
PM મોદીએ દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે મને લતા દીદીનો ખૂબ સ્નેહ મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. તેમની સાથે થયેલ વાતચીત મારા માટે અવિસ્મરણીય છે. મેં પરિજનો સાથે વાત કરીને સંવેદના વ્યક્ત કરી છે, અને હું આ દુખ શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. દેશમાં તેમની જગ્યા ક્યારેય ભરાઈ શકશે નહીં.
લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. ભારત રત્ન લતા મંગેશકરે રવિવારે સવારે લાંબી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે. કોરોના વાયરસ અને તે બાદ ન્યુમોનિયાના કારણે લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
સાચા અર્થમાં સંગીતનો ગઢ ગણાતા લતા મંગેશકરના દેહાવસાનને પગલે દેશ-વિદેશમાં રહેલા તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મોરારીબાપુ સહિતના મહાનુભાવોએ લતા તાઈના નિધનને પગલે સોશિયલ મીડિયા પર સંવેદના વ્યક્ત કરી. સાથે જ દેશમાં 2 દિવસના રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરવામાં આવી છે.
28 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો જન્મ
આપને જણાવી દઈએ કે કોરોડોની ફેન ફોલોવીંગ ધરાવતા લતા મંગેશકરનોજન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. તેઓ ગોવામાં મંગેશી ગામથી હતા જેથી તેમની અટક મંગેશકર પડી અને બાળપણમાં તેમનું નામ હેમા હતું.
એક્ટિંગમાં પણ લતા દીદીએ કર્યું હતું કામ
નોંધનીય છે કે લતા મંગેશકરે "આયેગા આને વાલા" ગીત માટે 22 રીટેક આપ્યા હતા. લતા મંગેશકરને પ્રથમ ઇનામ રૂપે 25 રૂપિયા મળ્યા હતા અને તેને જ તેઓ પોતાની પહેલી કમાણી માને છે. લતા મંગેશકરે એક્ટિંગનું પણ કામ કર્યું હતું જેના માટે પહેલીવાર તેમને 300 રૂપિયા મળ્યા હતા. સંગીતમાં ઉસ્તાદ અમાન ખાં અને પંડિત નરેન્દ્ર શર્મા તેમના ગુરુ હતા.
1943માં પ્રથમ ગીત ગાયું
સાંભળીને આપને નવાઈ લાગશે કે માત્ર 7 થી 8 વર્ષની નાની ઉંમરે તેમણે ગીત ગાવાની શરૂઆત કરી હતી. પિતાની કંપનીમાંજ તેમણે સ્ટેજ પર પ્રથમ વખત ગીત ગાયું હતું. 1943ની સાલમાં તેમણે તેમનું પ્રથમ ગીત ગાયું હતું, બોલીવુડમાં તેમણએ અનેક ગીતો ગાયા છે. જેમા "એ મેરે વતન કે લોગો " ગીત ઘણું વિખ્યાત થયું હતું. જોકે તેમણે સીવાય તેમણે ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયા છે.
વિવિધ ભાષાઓનું જ્ઞાન ધરાવનાર
લતા મંગેશકરને હિન્દી, બાંગ્લા, તમિલ, સંસ્કૃત, ગુજરાતી અને પંજાબી ભાષા પણ આવડતી હતી. 2001માં તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના માટે ગીત ગાવું એક પૂજા સમાન હતું અને તેઓ હંમેશા ખુલ્લા પગે રેકોર્ડિંગ કરતા હતા. તેમના પિતાએ તેમને જે તંબૂરો આપ્યો હતો તે તેમણે છેલ્લા શ્વાસ સુધી સાચવીને રાખ્યો છે.
ફોટોગ્રાફી અને ક્રિકેટના શોખીન
આ સિવાય તેમને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ હતો. વિદેશોમાં તેમના દ્વારા પાડેલા ફટોનું પ્રદર્શન પણ લાગતું હતું. તેઓ ક્રિકેટના પણ ઘણા શોખીન હતા અને ભારતની દરેક મેચે તેઓ પોતાના બધા કામ મૂકીને જોવા બેસી જતા હતા. તેમને માંસાહારી ભોજન ખાવાનું પસંદ હતું. તેમના પસંદીદા ગાયક કુંદનલાલા સહગલ અને નીરજહા હતા
તહેવારોમાં દિવાળી સૌથી વધારે પસંદ
લતા મંગેશકરને ગીતા વાંચવાનો પણ ઘણો શોખ હતો. શાસ્ત્રીય સંગીત તેમને બાળપણથી પસંદ હતું. પંડિત રવિશંકર, જસરાજ, ભીનસેન તેમની પસંદગીના ગાયકો હતા. તહેવારોમાં તેમને સૌથી વધારે દિવાળી પસંદ હતી. સાથેજ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં તેમને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. કૃષ્ણ, મીરા, સ્વામિ વિવેકાનંદ અને અરવિંદો તેમને ખૂબ પસંદ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિ પર ખૂબજ જલ્દીથી વિશ્વાસ કરી લેતા હતા.
અભિનેત્રી તરીકે પણ કામ કર્યુ હતું
તેમણે "આયેગા આને વાલા" આ ગીતમાં 212 રીટેક આપ્યા હતા. ગીત ગાવામાં તેમને પહેલું ઈનામ 25 રૂપિયા મળ્યું હતું. તેમણે એક અભિનેત્રી તરીકે પણ કામ કર્યું છે. અભિનેત્રી તરીકે તેમણે જ્યારે કામ કર્યું ત્યારે તેમને 300 રૂપિયા મળ્યા હતા. તેઓ સંગીતમાં ઉસ્તાદ અમાન ખાં અને પંડિત નરેન્દ્ર શર્માને પોતાના ગૂરૂ માને છે.
આનંદ બક્ષીના 700થી વધું ગીતો ગાયા
લતા મંગેશકરે લક્ષ્મીકાંત પ્યારેલાલના 686 અને શંકર જયકિશનના 453 યુગલ ગીતો ગાયા હતા. સાથેજ તેમણે કિશોર કુમાર સાથે પણ 327 ગીતો ગાયા હતા. મહિલા યુગલ ગીત તેમણે સૌથી વધારે આશા ભોંસલે સાથે ગાયા હતા. ગીતકાર આનંદ બક્ષી દ્વારા લખેલા 700થી વધુ ગીતો તો માત્ર લતાજીએ ગાયા હતા.