બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા Lata Mangeshkar જીને કોવિડ પોઝિટિવ આવતા હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તેઓ હાલ ICU માં દાખલ છે.
ભારતરત્ન લતા મંગેશકરજી હોસ્પિટલાઇઝ્ડ
ICU માં રાખવામાં આવ્યા
કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
દેશની કોયલ તરીકે ઓળખાતા LATA MANGESHKAR જીને નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યા બાદ તેમણે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જો કે અત્યારે તેઓ ICU માં રાખવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.
Legendary singer Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid-19. She has mild symptoms: Her niece Rachna confirms to ANI
બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા મંગેશકરજીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICU માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જો કે હવે તેઓની તબિયત સારી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. તેઓની ભત્રીજી રચનાએ માહિતી આપી હતી કે હવે તેઓની તબિયત સારી છે અને તેઓની પ્રાઈવાસીનું ધ્યાન રાખવામાં આવે અને તેઓ માટે પ્રાર્થના કરવામાં આવે તેવી વિનંતી પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દીદીને માત્ર પ્રિકોશનરી બેઝ પર જ ICU માં રાખવામાં આવ્યા છે.
"She is doing fine; has been kept in ICU only for precautionary reasons considering her age. Please respect our privacy and keep Didi in your prayers," singer Lata Mangeshkar's niece Rachna to ANI
દેખીતી રીતે જ આખો દેશ આ સમયે એ જ પ્રાર્થના કરતો હશે અને આશા રાખીએ કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અને જલ્દીથી લતાદીદીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવે.