દેશના ભારતરત્ન ગાયિકા લતા માંગેશકરને કોરોના વાયરસ અને ન્યુમોનિયા બંને થયો છે અને ડોકટરો કહી રહ્યા છે કે તેમને હજુ ICUમાં જ રાખવામાં આવશે.
લતા મંગેશકરની તબિયત નાદુરસ્ત
લતા મંગેશકર છેલ્લાં 7 દિવસથી ICUમાં
બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા છે દાખલ
ભારત રત્ન લતા મંગેશકરની તબિયત નાદુરસ્ત
દેશના ભારતરત્ન અને પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકર છેલ્લા એક અઠવાડિયાથી કોરોના ગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં દાખલ છે. દેશ આખું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે ત્યારે હેલ્થને લઈને મોટા અપડેટ આવી રહ્યા છે.
લતા મંગેશકરને કોરોના અને ન્યુમોનિયા છે
લતા દીદી સાત દિવસથી ICUમાં દાખલ છે અને ડોકટરોની ટીમ દ્વારા ઑબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યા છે. લતા દીદીને કોરોના અને ન્યુમોનિયા છે અને હાલ તેમની તબિયત સ્થિર છે. ડૉક્ટર જણાવી રહ્યા છે કે તેઓ ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે. નોંધનીય છે કે 8મી જાન્યુઆરીના રોજ લતા દીદીને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
ICUમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે લતા મંગેશકર
ડોકટરો કહી રહ્યા છે તે તેમને હજુ ઘણી સારવારની જરૂર છે અને હજુ તેમને ICUમાં જ રાખવામાં આવશે. ડૉ પ્રતીત સમદાનીએ જાણકારી આપતા કહ્યું કે હજુ થોડા દિવસ લતા માંગેશકરને હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. તેમના સાજા થવા માટે પ્રાર્થનાની જરૂર છે.