સુરોની મલ્લિકા લતા મંગેશકરે હંમેશા માટે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. લતા મંગેશકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. લતા મંગેશકરને કોરોના થયો હતો. કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
સુરોની મલ્લિકા લતા મંગેશકરે દુનિયાને કીધુ અલવિદા
લતા મંગેશકરના નિધનથી સૌ કોઈ આઘાતમાં
કેમ ક્યારેય રિલીઝ ના થયુ તેમનું પહેલુ ગીત?
લતાજીનો સંગીત પ્રત્યેનો પ્રેમ નાની ઉંમરે જ દેખાયો હતો
મંગેશકરનો પરિવાર માને છે કે લતાએ પોતાના સંગીત પ્રત્યેના પ્રેમનું પ્રમાણ ખૂબ નાની ઉંમરે આપ્યું હતુ. કહેવાય છે કે લતા મંગેશકરના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પોર્ચમાં બેસીને સારંગી વગાડી રહ્યાં હતા ત્યારે તેની નજર લતા પર ગઇ. 6 મહિનાની બાળકી મુઠ્ઠી ભરીને માટી પોતાના મોંઢામાં નાખતી હતી ત્યારે તેના પિતાએ તેને સારંગી આપી. તેમણે સારંગી પ્રેમથી વગાડી. પરંતુ લતા મંગેશકરે સારંગીના જે તાર છેડ્યા તેનાથી તેના પિતા આશ્ચર્ચચકિત થઇ ગયા.
કેમ ક્યારેય રિલીઝ ના થયુ લતા મંગેશકરનું પહેલુ ગીત?
લતા મંગેશકરે હજારો ગીત ગાયા છે. પરંતુ તેનું ગાયેલુ પહેલુ ગીત ક્યારેય રિલીઝ થયુ નથી. આ ગીતનું નામ હતુ Naachu Yaa Gade, Khelu Saari Mani Haus Bhaari. ગીતને સદાશિવરાવ નેવરેકરે મરાઠી ફિલ્મ કિટ્ટી હસલ માટે 1942માં કમ્પોઝ કર્યુ હતુ. ગીત લતાના અવાજમાં ડબ થયુ. પરંતુ ફિલ્મના ફાઈનલ કટમાં તેને હટાવી દીધુ. તેથી તે ગીત ક્યારેય રિલીઝ થયુ નહીં. ત્યારબાદ લતા મંગેશકરનું જે ગીત રિલીઝ થયુ તે હતુ Natali Chaitraachi Navalaai જેને દાદા ચંદેડકરે બનાવ્યું હતુ. આ ગીત 1942માં આવેલી મરાઠી ફિલ્મ Pahili Mangalaa-gaurમાં લેવામાં આવ્યું હતુ. આ ફિલ્મમાં લતાજીએ અભિનેત્રીનો નાનો રોલ પણ કર્યો હતો.
આ હતુ લતા મંગેશકરનું પહેલુ હિન્દી ગીત
હવે લતાજીના હિન્દી ગીતો વિશેની વાત આવે છે, જેની શરૂઆત થઈ 1946માં આવેલી ફિલ્મ આપની સેવામાં. જેમાં લતાજીએ ગીત ગાયુ હતુ. જેની શરૂઆત હતી, "Paa Lagoon Kar Jori.