ભારતની સ્વર કોકિલા નામથી પ્રસિદ્ધ ભારત રત્ન લતા મંગેશકર હવે આપણી વચ્ચે રહીં નથી. પરંતુ તેના દ્વારા ગવાતા ગીત હંમેશા આપણા દિલ-મગજને શાંતિ પહોંચાડશે. કોરોનાના કારણે લતા દીદીનું નિધન થયુ હોવાથી બિહારમાં શોકનો માહોલ છવાયો છે.
દેશની સ્વર કોકિલા લતા દીદીનું નિધન
બિહારમાં શોકનો માહોલ છવાયો
લતા દીદીએ મેથિલી અને ભોજપુરીમાં ગીત ગાયા
લતા દીદીનો બિહાર અને બિહારની ભાષા સાથે ખાસ નાતો
મહત્વનું છે કે લતા દીદીનો બિહાર અને બિહારની ભાષા અને બોલી સાથે ખાસ સંબંધ રહ્યો છે. હિન્દીની સાથે તેમણે મેથિલી અને ભોજપુરીમાં ગીત ગાયા છે. તેઓ જ્યારે પણ ગીત ગાતા હતા ત્યારે આખા બિહારી બની જતા હતા. લતા દીદીએ મેથિલીમાં ગાયેલા ગીત સુનૂ સુનૂ રસિયા... આજે પણ મિથિલાવાસીઓની બોલી પર આવે છે. લતા દીદીના નિધનની સાથે એક વખત ફરીથી આ ગીત ટ્રેન્ડ કરવા લાગ્યું છે. 1964માં રિલીઝ થયેલી ફિલ્મ વિદ્યાપતિના આ પ્રખ્યાત ગીતમાં લતા મંગેશકરની સાથે તત્કાલીન પ્રસિદ્ધ ગાયક મલય મુખર્જીએ પણ સ્વર આપ્યો હતો. લતા દીદીએ વિદ્યાપતિના ગીતને જીવંત કર્યુ. જે આજે પણ લોકોના દિલમાં ઉતરી જાય છે અને આનંદિત કરે છે.
આખુ બિહાર શોકમાં ગરકાવ
ઉલ્લેખનીય છે કે લતા દીદીના નિધનથી આખુ બિહાર શોકમાં ગરકાવ છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ લતા દીદીના નિધન પર શોક દર્શાવ્યો છે. નીતિશ કુમારે પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે લતા દીદીનું નિધન ખૂબ જ શોકદાયક અને પીડાદાયક છે. નીતિશ કુમારે કહ્યું કે લતા દીદીનું ભારત રત્ન, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સહિત ઘણા અન્ય ખિતાબોથી સન્માન કરવામાં આવ્યું છે.