સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને એરઆર શાહની બેંચે શુક્રવારના રોજ આરબીઆઇ સાથે જોડાયેલ ડિસ્ક્લોજર નીતિને રદ્દ કરવા કહ્યું છે, જેના કારણે આરટીઆઇ હેઠળ સૂચનાને સાર્વજનિક નથી કરવામાં આવતી. સુપ્રીમે આરબીઆઇને 2015ના આદેશનું પાલન ન કરવાને લઇને ફિટકાર લગાવી છે.
સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને કડક શબ્દોમાં જણાવ્યું છે કે સૂચના અધિકાર (RTI) કાનૂન હેઠળ બેંક ડિફોલ્ટર્સના નામ સાર્વજનિક કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે બેન્કો અને નાણાંકીય સંસ્થાઓના કામકાજના ઇન્સપેકશન રિપોર્ટને પણ સાર્વજનિક કરવા જણાવ્યું છે. આ સાથે ભવિષ્યમાં કોર્ટના આદેશના ઉલ્લંઘનને લઇને ચેતવણી આપી છે.
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને એરઆર શાહની બેંચે શુક્રવારના રોજ આરબીઆઇ સાથે જોડાયેલ ડિસ્ક્લોજર નીતિને રદ્દ કરવા કહ્યું છે, જેના કારણે આરટીઆઇ હેઠળ સૂચનાને સાર્વજનિક નથી કરવામાં આવતી. સુપ્રીમે આરબીઆઇને 2015ના આદેશનું પાલન ન કરવાને લઇને ફિટકાર લગાવી છે.
જેમાં જણાવાયું હતું કે પારદર્શિતા કાનૂન હેઠળ સૂચનાને સાર્વજનિક કરવાનું જણાવવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટની બેંચે માન્યું કે આરબીઆઇએ કોર્ટની અવગણના કરી છે, જો કે કોર્ટે કોઇ દંડાત્મક કાર્યવાહી કરી નથી અને ચેતાવણી આપી છે કે ભવિષ્યમાં આદેશનું ઉલ્લંઘન કર્યું તો આ મામલાને ગંભીરતાથી લેવામાં આવશે, જેમાં આરબીઆઇને અવગણના કરવા બદલ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
સુપ્રીમ કોર્ટે 2015માં જણાવ્યું હતુ કે અમારુ માનવું છે કે કેટલીક નાણાંકીય સંસ્થા એવા કામમાં સામેલ છે પારદર્શી નથી. આરબીઆઇ તેમના કામ પર પડદો પાડી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આરબીઆઇની એ દલીલને ફગાવી દીધી છે જેમાં જણાવાયું હતું કે રિપોર્ટમાં બેન્કિગ ઓપરેશનની ગુપ્ત જાણકારી હોય છે જેના કારણે રિપોર્ટ સાર્વજનિક કરવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે 2015ના આદેશ પર ફરી વિચાર કરવાની અપીલ પણ નામંજૂર કરી છે.