સુરેન્દ્રનગરનો જવાન ભારતીય સેનામાં અરૂણાચલ પ્રદેશના ગૌહાટીમાં ફરજ બજાવતો હતો. ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક મોત થયુ હતુ. ત્યારે આજે વઢવાણ ખાતે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં નાત-જાતને ધ્યાને રાખ્યા વિના જ તમામ ધર્મના લોકોએ ભારત માના પનોતા લાલને સલામી આપી હતી.