જમ્મૂ કશ્મીરમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર ગત રાત્રીના રોજ બે બ્લાસ્ટ થયા હતા. જે મામલે એક આંતકીની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ ડ્રોનની મદદ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
ડ્રોનથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હોય તેવી શંકા
સમગ્ર મામલે એક આતંકીની ધરપકડ
આતંકી પાસેથી મળ્યો વિસ્ફોટક સામાન
જમ્મૂમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર ગત 5 મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા હતા. આ વાતની જાણ થયા બાદ એનઆઈએની ટીમ તપાસ માટે એરફોર્ટ સ્ટેશન પોહચી ચુકી છે. સમગ્ર મામલે જમ્મૂ-કશ્મીર પોલીસે યુપીએ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ બ્લાસ્ટમાં બે લોકો સામાન્ય ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
સ્ટેશન પરના બેરેકને નુકશાન
સ્ટેશન પરના બે બેરેકને નુકશાન પહોચ્યું છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે વિસ્ફોટક સામગ્રી ઈમારતના ધાબા પર પડી હતી. જેના કારણે બેરેક પૂરી રીતે ડિસ્ટ્રોય થઈ ગયું. જોકે બીજો બ્લાસ્ટ ઈમારતની સાથે ઓપન એરિયામાં થયો હતો, તેવી માહિતી સામે આવી છે.
ડ્રોનથી બ્લાસ્ટ થયા હોવાની આશંકા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જમ્મૂ ટેકનિકલ એરપોર્ટ પર જે બે બ્લાસ્ટ થયા છે. તે બ્લાસ્ટ ડ્રોનની મદદથી કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. બંને ધડાકા એયરપોર્ટની અંદર થયા છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે અહીયા ડ્રોન દ્વારા LED નાખવામાં આવ્યા હશે.
પાકિસ્તાન સામે શંકાની સોય
ડ્રોનના ઉપયોગથી બ્લાસ્ટની ખબર સાંભળીને પાકિસ્તાન સામે શંકા સેવાઈ રહી છે. આ ઘટનાને કારણે શ્રીનગર અને પંજાબના પઠાનકોટ સ્થિત એરફોર્સ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથેજ જમ્મૂમાં એક આંતકીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે.
આતંકી બનિહાલનો રહેવાસી
ઝડપાયેલ આતંકી બનિહાલનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેને ત્રિકૂટ નગર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે બ્લાસ્ટ અને આંતકીની ધરપકડને કારણે હાલ જમ્મૂમાં માહોલ ગરમાયેલો છે. જેના કારણે ત્યા સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
વાયુસેના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું
સમગ્ર મામલે ભારતીય વાયુસેના દ્વારા ટ્વીટ કરવામાં આવી કે જમ્મૂ વાયુ સેનાના સ્ટેશન પર બે બ્લાસ્ટ થયા છે. જોકે તેંમણે એવો ઉલ્લેખ પણ કર્યો કે આ બ્લાસ્ટને કારણે કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થયું. હાલ આ મામલે સૈન્ય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બ્લાસ્ટની માહિતી મળતા પોલીસ તુરંત સ્થળે પહોચી
બ્લાસ્ટની માહિતી મળતાજ જમ્મૂ-કશ્મીર પોલીસ સ્થળ પર પહોચી હતી જ્યા તેમણે બોમ્બ ડિસ્પોસ્પલ સ્કૉવડની ટીમ પણ બોલાવી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહના કાર્યલય દ્વારા એવું જણાવામાં આવ્યું કે સમગ્ર મામલે વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ એસએસ અરોડા સાથે વાત થઈ છે. જેમણે કહ્યું ડ્રોન દ્વારા બ્લાસ્ટ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
બ્લાસ્ટ મામલે તપાસ યથાવત
ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટ પાકિસ્તાનમાં ચાલી રહેલા આંતકી નેટવર્ક દ્વારા કરવામાં આવ્યા છે કે નહી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જમ્મૂમાં ફરીથી આંતકી સંગઠનો સક્રિય થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.