આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે યોજાશે. આ વર્ષે આ વર્ષનું ચોથું ચંદ્રગ્રહણ હશે. વર્ષ 2020માં આ પહેલાં 10 જાન્યુઆરી, 5 જૂન અને 5 જુલાઈએ ચંદ્રગ્રહણ જોવા મળ્યું હતું. આ વખતે ગ્રહણ ખાસ રહેશે. આ દિવસે કાર્તિક પૂર્ણિમા છે અને સાથે ગુરુ નાનક દેવનો 551મો જન્મદિવસ મનાવાશે. ખગોળવિદોના અનુસાર લગભગ 4 કલાક 21 મિનિટનું ગ્રહણ રહેશે.
આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ
30 નવેમ્બરે યોજાશે ચોથું ચંદ્રગ્રહણ
લગભગ 4 કલાક 21 મિનિટનું ગ્રહણ
દુનિયામાં ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ
આ ચંદ્રગ્રહણની અસર ભારતમાં જોવા મળશે નહીં. તેને યૂરોપના મોટાભાગમાં, એશિયાના કેટલાક દેશો, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એટલાન્ટિકમાં જોવા મળશે. ભારતના કેટલાક ભાગમાં આ ચંદ્રગ્રહણને જોવા મળી શકે છે. જેમકે દેશના પૂર્વ ભાગના કેટલાક લોકો તેને જોઈ શકશે એટલે કે ગ્રહણ લખનઉ, પટના અને રાંચી જેવા શહેરોમાં આસમાન સાફ હશે તો પણ જોવા મળી શકે છે. દિલ્હી, મુંબઈ સહિત દેશના દક્ષિણ ભાગમાં લોકો આ ચંદ્રગ્રહણને જોઈ શકાશે નહીં.
ક્યારે દેખાશે ચંદ્રગ્રહણ
30 નવેમ્બરે બપોરે 1.04 શરૂ થઈને સાંજે 5.22 સુધી રહેશે.
શું છે ચંદ્રગ્રહણ
સૂર્યની પરિક્રમા સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આ રીતે આવે છે જ્યારે ચંદ્ર ધરતીની છાયાથી છુપાઈ જાય છે. ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પરંતુ જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની કક્ષામાં એકમેકની સીધા થઈ જાય છે. પૂર્ણિમાના દિવસે જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવે છે તેથી છાયા ચંદ્રમા પર પડે છે. તેનાથી પડછાયાનો ભાગ અંધકારમાં રહે છે. આ સ્થિતિમાં ધરતીથી ચાંદને જોવાય તો આ ભાગ કાળો દેખાય છે. આ રીતે તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે પૃથ્વી સૂર્યની કિરણોને સંપૂર્ણ રીતે રોકી લે છે અને તેને પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાય છે. જ્યારે ચંદ્રમાન ફક્ત એક ભાગ છૂપાયેલો રહે છે તો તેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે.