જામનગરમાં સતત પાંચ દિવસ ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે ત્યારે હજુ સુધી સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઇ જાણકારી લેવામાં ન આવતાં જામનગરની જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત આવી રહેલા ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગરમાં છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા
અનેક ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.5થી 3 સુધી નોંધાઇ
જામનગર જિલ્લામાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. જામનગરમાં જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 8 ભૂકંપના આંચકા અનુભવાયા છે. કાલાવાડના બાંગા, ખાનકોટડા, બેરાજા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ અનુભવાયો છે.
જામનગરમાં છેલ્લા પાંચ દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. આજે રિકટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.5થી 3 સુધીના આંચકા અનુભવાયાં છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ 22 કિમી દૂર નોંધાયું હતું. આ અગાઉ કાલાવાડ નજીક બેરાજા અને સરવાણિયા ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.
જ્યારે તે પહેલા લાલપુર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આમ છેલ્લા પાંચ દિવસથી ભૂકંપથી જામનગર જિલ્લાની ધરા ધ્રુજી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા આ અંગેના કારણોને લઇને કોઇ કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી.