અમદાવાદમાં સાબરમતી સ્વચ્છ અભિયાનનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે અભિયાનમાં રાજ્યકક્ષાના મંત્રીઓ જોડાયા છે. અંતિમ દિવસે અભિયાનમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા જોડાયા છે. સાથે જ અમદાવાદ મેયર બિજલબેન પટેલ પણ આ અભિયાનમાં ભાગ લીધો. અંતિમ દિવસે સરદાર પટેલ બ્રિજથી સાબરમતી સ્વચ્છ અભિયાનની શરૂઆત થઈ છે.
મહત્વનુ છે કે, સીએમ રૂપાણી દ્વારા અભિયાનની શરૂઆત કરાવવામાં આવી હતી. આ અભિયાનમાં અત્યાર સુધી હજારો લોકો જોડાયા છે. પ્રથમ દિવસે આ અભિયાન હેઠળ નદીમાંથી 30 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરાયો હતો. બીજા દિવસે આ અભિયાનમાં વિપક્ષના નેતાઓ પણ જોડાયા હતા.