PMને મળેલા ઉપહારો ખરીદવાની ઈ-નિલામીનો આજે છેલ્લો દિવસ છે. PMની લોકપ્રિયતાનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે તે તેમને મળેલા ઉપહારોની નિલામી લાખો અને કરોડોમાં પહોંચી ચૂકી છે. પીએમ મોદીને ચાહનારા લોકો મોટી સંખ્યામાં આ નિલામીમાં ભાગ લઈ રહ્યા છે. જાણો કઈ 2 વસ્તુઓની કિંમત સૌથી વધુ બોલાઈ રહી છે.
PM મોદીના ઉપહારોની નિલામી
ઈ-નિલામીનો આજે છેલ્લો દિવસ
ઉપહારોની કિંમત પહોંચી કરોડોમાં
આજે સાંજે 5 વાગ્યા સુધી લઈ શકાશે નિલામીમાં ભાગ
PM મોદીએ એક નવી પહેલ કરી છે. તેઓએ દેશભરમાંથી મળેલા તમામ ઉપહારોને નિલામ કરવાનું નક્કી કર્યું છે. 27 સપ્ટેમ્બરથી આ નિલામી શરૂ થઈ છે. પહેલાં તે 3 ઓક્ટોબર સુધી ચાલવાની હતી. પરંતુ લોકોના ઉત્સાહને જોઈને તેની સમયસીમા વધારીને 17 ઓક્ટોબર કરી દેવામાં આવી છે. જો તમે પણ પીએમ મોદીને મળેલા ઉપહારોને ખરીદવા ઇચ્છો છો તો તમે આજે સાંજે 5 વાગ્યા સુધી નિલામીની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો.
નિલામીમાંથી મળેલી રકમનો ઉપયોગ આ કામ માટે કરાશે
નિલામીમાં રાખવામાં આવેલા સામાનની એક પ્રદર્શની દિલ્હીના રાષ્ટ્રિય આધુનિક કલા સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે. નિલામીમાંથી જે રકમ મળશે તેને ગંગાની સફાઈ માટે નમામિ ગંગે પ્રોજેક્ટમાં દાન કરવામાં આવશે. નિલામીમાં પીએમ મોજીને મળેલી 2700થી વધુ ગિફ્ટ અને સમૃતિચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ચીજોની ઓનલાઈન બોલી ફાઈનલ કરવામાં આવી રહી છે. નિલામીમાં પીએમ મોદીને ભેટમાં મળેલી પેન્ટિંગ, માતા હીરાબાને હાથ જોડીને પગે લાગતો ફોટો, મૂર્તિઓ, શોલ, જેકેટ અને પારંપરિક વાદ્ય યંત્ર સહિત અનેક વસ્તુઓ સામેલ છે. આ સામાનમાં ભારતીય ક્રિકેટ ટીમની એક ઓફિશિયલ જર્સી પણ સામેલ છે.
અહીં ક્લિક કરીને લઈ શકો છો ભાગ
પીએમ મોદીને મળેલા ઉપહારોની ઈ-નિલામી સંસ્કૃતિ મંત્રાલયની તરફથી કરવામાં આવે છે. જો તમે તેમાંથી કોઈ પણ ઉપહાર ખરીદવા ઇચ્છો છો તો તમે www.pmmemento.gov.in પર ક્લિક કરીને ઈ-નિલામીમાં ભાગ લઈ શકો છો. તેમાંની કોઈ પણ ચીજ માટે તમે બોલી લગાવી શકો છો. બોલી લગાવતા પહેલાં તમે આ ઉપહારને રાષ્ટ્રિય આધુનિક કલા સંગ્રહાલયમાં જોઈ શકો છો. જે સૌથી વધારે બોલી લગાવશે તેને આ ગિફ્ટ મળશે.
હાલમાં આ ઉપહાર છે ચર્ચામાં
2 ઉપહારની નિલામી સૌથી વધારે ચર્ચામાં છે. હીરાના કળશ પર નારિયેળ રાખેલો ઉપહાર. તેને નિલામીમાં કોઈએ 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે તેની બેઝ પ્રાઈઝ 18 હજાર રૂપિયા હતી. જો કે સંસ્કૃતિ મંત્રાલયે આ નિલામી કેન્સલ કરી છે. મંત્રાલયે આ નિલામીને લઈને કોઈ પણ પ્રકારના વિવાદમાં ઉતરવાનું ટાળ્યું છે.
અન્ય ઉપહારમાં પીએમ મોદીનો ફોટો અને સંદેશવાળું સ્મૃતિ ચિહ્ન છે. તેની કિંમત પણ 1 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. તેની બેઝ પ્રાઈઝ 500 રૂપિયા રાખવામાં આવી હતી. પીએમ મોદીના એક ચાહકે વાછરડાને દૂધ પીવડાવતી ગાયની મૂર્તિને 51 લાખની બોલી લગાવીને ખરીદી. જ્યારે ધાતુથી બનેલી આ ગાય-વાછરડાની મૂર્તિનું આધાર મૂલ્ય 1500 રૂપિયા હતું.
આ તસવીર પણ રહી ખાસ
ઈ-નિલામીમાં માતાની પાસે ઝૂકીને આર્શિવાદ લેતા પીએમ મોદીનો એક ફોટો રાખવામાં આવ્યો છે. જેમાં પીએમ મોદી હાથ જોડીને માતા સામે ઝૂકેલા છે. આ ફોટોની કિંમત 20,00,100 રૂપિયાની બોલાઈ ચૂકી છે. તેની બેઝ પ્રાઈઝ 1000 રૂપિયા રાખવામાં આવી છે.
આ રીતે રાખવામાં આવી છે બેઝ પ્રાઈઝ
હાલ સુધી જે નિલામી થઈ ચૂકી છે તેમાં અનેક સેલિબ્રિટી, રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ સામેલ રહ્યા છે. આ નિલામીમાં 2772 ઉપહારની બેઝ પ્રાઈઝ 200થી 2.5 લાખ રૂપિયાની વચ્ચે રાખવામાં આવી છે.