સ્થાનિક સ્વરાજની કેટલીક પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી- નામાંકન માટે શનિવારે છેલ્લો દિવસ.AMCનાં બે વોર્ડ ઇસનપુર-ચાંદખેડા વોર્ડની ચૂંટણી
પાલિકા -મહાપાલિકાની ચૂંટણી
નામાંકન માટે શનિવાર છેલ્લો દિવસ
અમદાવાદના ઇસનપુર-ચાંદખેડા વોર્ડની ચૂંટણી
ગુજરાતમાં કેટલીક પાલિકા,સહીત સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 3 ઓક્ટોબરે યોજાશે. જેમાં ગાંધીનગર મહાપાલિકા,થરા નગરપાલિકા, અને સૌરાષ્ટ્રના ભાણવડ નગરપાલિકાની પેટા ચૂંટણી,ઓખા નગરપાલિકા સહીત અમદાવાદના બે વોર્ડની પેટા ચૂંટણી યોજાનારી છે અને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ આવતીકાલ શનિવારે છે.અમદાવાદ મહાપાલિકાના ઇસનપુર અને ચાંદખેડાની બે બેઠકોની પેટા ચૂંટણી થશે.
ભાજપના ઉમેદવારો કરશે નામાંકન
અમદાવાદ મહાપાલિકાના બે વોર્ડ ઇસનપુર અને ચાંદખેડા બેઠકના ભાજપના ઉમેદવારો શનિવારે નામાંકન દાખલ કરશે.ભાજપે ઇસનપુર વોર્ડમાંથી પૂર્વ નગરસેવક ગૌતમ પટેલના પુત્ર મૌલિક પટેલને ટીકીટ આપી છે.તો ચાંદ્ખેડામાથી રીના બહેન પટેલના નામને અનુમોદન આપ્યું છે. તો કોંગ્રેસમાંથી ચાંદખેડા વોર્ડના ઉમેદવાર દિવ્યાબહેન રોહિતને ઘોષિત કરાયા છે.
ગાંધીનગર મહાપાલિકા પર નજર
છ માસ પૂર્વે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ પંચાયત-પાલિકા અને મહાપાલિકામાં કોન્ગ્રેસના સૂંપડા સાફ કરી નાખ્યા હતા.મહાનગરપાલિકામાં તો રાજકોટ અને સુરતમાં કોંગ્રેસને ફાળે એક પણ બેઠક નહોતી આવી.સુરતમાં કોંગ્રેસને બદલે આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હલચલ મચાવી દીધી હતી. હવે આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે ત્યારે, ભાજપને બધી મહાનગર પાલિકાઓ પર કબજો અને પંચાયત પાલિકા પરનો પ્રભાવ મદદ કરી શકશે. આ બધા વચ્ચે, ગાંધીનગર મહાપાલિકાના પરિણામ વધુ રોચક રહેશે. ગાંધીનગર મહાપાલિકામાં આમ આદમી પાર્ટી પણ લાંબા સમયથી પ્રચાર પ્રસારમાં ઉતરી છે.