કોરોના સંકટને જોતાં ફરી એક વાર આવકવેરા વિભાગે સામાન્ય લોકોને રાહત આપી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નાણાંકીય વર્ષ 2019-20ને માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખને ફરી આગળ વધારી છે. હવે ટેક્સપેયર્સ 30 નવેમ્બર 2020 સુધી પોતાનું ITR ફાઈલ કરી શકે છે.
કોરોના સંકટમાં આવકવેરા વિભાગે આપી છૂટ
હવે 30 નવેમ્બર 2020 સુધી ભરી શકાશે ITR
સામાન્ય લોકોને મળી મોટી રાહત
નાણાંકીય વર્ષ 2019-20ને માટે TDS/TCS સ્ટેટમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ વધારીને 31 જુલાઈ 2020 કરી છે. આ સિવાય TDS/TCS સર્ટિફિકેટ્સ પણ જાહેર કરવાની તારીખને આગળ વધારીને 15 ઓગસ્ટ 2020 કરી છે. આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ 2019-20 ને માટે રોકાણ અને ક્લેમ ડિડક્શનની તારીખને પણ એક મહિનાને માટે વધારી છે. હવે તેને વધારીને 31 જુલાઈ 2020 સુધી કરી છે. આવકવેરા વિભાગે જાણકારી આપી છે કે હવે ટેક્સપેયર્સ સરળતાથી આઈટીઆર ભરી શકશે.
આ તારીખ સુધી કરી શકાશે રોકાણ
ટેક્સ બચાવવાને આવકવેરાની કલમ 80 સી, 80ડી અને 80ઈમાં રોકાણ કરવાની સમયસીમાને 30 જૂનથી વધારીને 31 જુલાઈ કરી છે. એવામાં જો તમે ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ કરવા ઈચ્છો છો તો 30 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો. લોકોની મુશ્કેલીઓ જોઈને આવકવેરા વિભાગે નવા આઈટીઆર ફોર્મ પણ જાહેર કર્યું છે. CBDTએ નાણાંકીય વર્ષ 2019-20ને માટે રિટર્ન ફોર્મમાં સંશોધન કર્યું છે.
ટીડીએસ એટલે કે આ કોઈ વ્યક્તિની આવકનો સ્ત્રોત શું છે, તેની પર જે ટેક્સ કલેક્ટ કરી શકાય છે. તેને જ ટીડીએસ કહેવામાં આવે છે. ટીડીએસ અને ટીસીએસ ટેક્સ વસૂલવાની 2 રીત છે. જ્યારે ટીસીએસ એ ટેક્સ છે જે વિક્રેતા ખરીદદારથી વસૂલે છે.
શું છે ITR?
ITRમાં કરદાતાઓ આવક, ખર્ચ, રોકાણ અને કરની જવાબદારીની વિગતો આયકર વિભાગને પૂરી પાડે છે. જેના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. વર્ષમાં એકવાર, તે આઇટીઆર ફોર્મ ભરવાનું રહેશે. કરમાંથી મેળવેલા નાણાં સરકાર દેશના વિકાસ કાર્યો પર ખર્ચ કરે છે.