SBI ખાતાધારકોએ પોતાનું KYC (Know Your Customer) પૂરું કરવા માટે આજે છેલ્લો દિવસ છે. તમે આજે જ 3.30 પહેલાં આ કામ કરી લો તે જરૂરી છે. જો તમે કેવાયસી પૂરા કરવાથી ચૂકી ગયા છો તો તમે તમારા રૂપિયા કાઢી શકશો નહીં. RBIએ દરેક બેંક એકાઉન્ટને માટે KYCને જરૂરી બનાવ્યું છે.
SBIના ખાતાધારકો ચેતો
આજે જ કરી લો KYC અપડેટ
નહીં તો નહીં કાઢી શકો એકાઉન્ટમાંથી રૂપિયા
બંધ થઈ શકે છે તમારું એકાઉન્ટ
જો તમે હાલ સુધી પણ તમારું કેવાયસી અપડેટ નથી કર્યું તો તમારા માટે આજે છેલ્લો દિવસ છે. નહીં તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. SBIએ ગ્રાહકોને SMS મોકલીને એલર્ટ આપ્યું છે કે તેઓ તેમના કેવાયસી ભરી જાય.સ મેસેજમાં RBIના દિશા નિર્દેશોને આધારે કેવાયસી અપડેટ કરવાનું સૂચન કરાયું છે. બેંકે કહ્યું છે કે નવા કેવાયસી દસ્તાવેજની સાથે SBIની શાખામાં સંપર્ક કરો. જો તમે આ અપડેટ નહીં કરો તો શક્ય છે કે તમારા એકાઉન્ટ પર ભવિષ્યમાં બેન લગાવી દેવામાં આવે.
શું હોય છે KYC?
KYC એટલે કે (Know Your Customer)ને અપડેટ કરાવવું દરેકને માટે જરૂરી છે. એક રીતે બેંક અને તેના ગ્રાહકની વચ્ચે KYC મજબૂતીનું કામ કરે છે. KYC વિના રોકાણ શક્ય નથી. આ ઉપરાંત તેના વિના બેંક એકાઉન્ટ પણ ખોલી શકાય તેમ નથી.
KYC માટે જરૂરી છે આ ડોક્યૂમેન્ટ
બેંકની સાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર KYC માટે ખાતાધારકે પોતાનું ઓળખપત્ર આપવાનું રહેશે.
ઓળખપત્રમાં પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, નરેગા કાર્ડ, પોસ્ટ ઓફિસ દ્વારા ઓળખપત્રનો રેકોર્ડ રાખે છે.
આ સિવાય સરનામાનું પ્રમાણપત્ર પણ આપવાનું રહે છે. તેમાં છેલ્લા 3 મહિનાના ફોન બિલ, બેંક ખાતાની માહિતિ, લેટેસ્ટ લાઈટ બિલ, રાશન કાર્ડ, આઈટી રિટર્ન ફોર્મ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, લાયસન્સ કરાર, સંસ્થા કે હોસ્ટેલના વોર્ડનનું બાંયેધરી પત્ર, સંબંધીના સરનામાનું પ્રમાણપત્ર આપવું જરૂરી બને છે.