મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર આપી રહી છે. તેના માટે 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે. કોરોના સંકટને કારણે કેન્દ્ર દ્વારા આ યોજનાનો સમયગાળો એપ્રિલથી સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો. 2016માં આ યોજના ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવી હતી, જેની અંતિમ તારીખ એપ્રિલમાં જ સમાપ્ત થઈ રહી હતી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહેલી આ યોજનાનું ખાસ ફોકસ મહિલાઓ પર છે.
મોદી સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત ગેસ સિલિન્ડર આપી રહી છે
કનેક્શન મેળવવા 30 સપ્ટેમ્બર છેલ્લી તારીખ છે
કોરોના સંકટને કારણે કેન્દ્ર દ્વારા આ યોજનાનો સમયગાળો વધારાયો
યોજના અનુસાર, જો તમે ગરીબ પરિવારમાંથી હોવ તો રજિસ્ટ્રેશન કરાવીને તમે આ મફત ગેસ સિલિન્ડર કનેક્શન મેળવી શકો છો. હવે આ માટે માત્ર 13 દિવસનો સમય બાકી છે. યોજના અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને સિલિન્ડર કનેક્શન આપે છે. યોજનાનો અસલ ઉદ્દેશ પરિવારોને એલપીજીથી રસોઈ બનાવવા તરફ શિફ્ટ કરવાનો છે, જે ચૂલા કરતાં ઘણું ઓછું પ્રદૂષણ કરે છે.
અરજી માટે કોઈ નજીકના એલપીજી સેન્ટરમાં કેવાયસી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મની સાથે નામ, સરનામું, જન ધન બેંક ખાતું નંબર, આધાર નંબર વગેરે ફોર્મ આપવાના રહેશે. બીપીએલ પરિવારની મહિલા સભ્ય આ માટે અરજી કરી શકે છે. દસ્તાવેજોમાં પાસપોર્ટ સાઇઝ ફોટો, બી.પી.એલ. કાર્ડ, આધારકાર્ડ, વય પ્રમાણપત્ર, બી.પી.એલ. લિસ્ટમાંના નામની પ્રિન્ટ, બેંક પાસબુકની ફોટો કોપી અને રાશનકાર્ડની ફોટો કોપી જોઈશે.
તમને જણાવી દઈએ કે, આ યોજનાના 8 કરોડનું લક્ષ્યાંક માર્ચ 2020 સુધીમાં પૂર્ણ કરવાનું હતું, જે સમય પૂર્વે પૂર્ણ થઈ ગયું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગેસ જોડાણો માટે 1600 રૂપિયા ચૂકવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, જે પરિવારો બીપીએલ કેટેગરીમાં આવે છે તેમને લાભ આપવામાં આવી રહ્યું છે.