જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 36 કલાકમાં ભારતીય સેનાએ પાકિસ્તાની BAT (બોર્ડર એક્શન ટીમ)ની કેરન સેક્ટરમાં ઘૂસણખોરીને તૈયારીને નિષ્ફળ બનાવી છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ 5 થી 7 પાકિસ્તાની સેનાના બેટ કમાન્ડો અને આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમના શબ LOC પર પડ્યા છે કારણ કે, ભારે ગોળીબારને લીધે હજી સુધી તેને પ્રાપ્ત કરી શકાય નથી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2019
ઘૂસણખોરોને કર્યા ઠાર
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ અને આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો હતો. આ ઘટના 31 જુલાઇ અને 1 ઓગસ્ટ દરમિયાનની રાતના સમયની છે. આતંકીઓએ કાશ્મીરના કેરન સેક્ટરમાં ઘૂષણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો જો કે, ભારતીય સેનાએ તેમની આ યોજનાની સફળ થવા દીધી નહોંતી.
અમિત શાહ જઇ શકે છે કાશ્મીરના પ્રવાસે
પ્રવર્તમાન સંજોગો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતા અઠવાડીયે કાશ્મીરની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. મીડિયામાં આ સમાચાર આવતાની સાથે જ વિરોધી પક્ષોમાં હલચલ મચી જવા પામી છે. જોકે અમિત શાહની મુલાકાત કેટલો સમય રહેશે તે અંગેની હજી સુધી કોઇ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ માનવામાં આવે છે કે તેઓ ત્યાં બે દિવસ રોકાણ કરશે.
In the last 36 hours, Indian Army has foiled an infiltration attempt by a Pakistani BAT (Border Action Team) squad in Keran Sector. 5-7 Pakistani army regulars/terrorists eliminated, their bodies are lying on the LoC, not retrieved yet due to heavy firing. (Source: Indian Army) pic.twitter.com/gBa89BuQ0M
ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરવા ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન સ્થાનિક જન પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. કાશ્મીરમાં અતિરિક્ત સૈન્ય દળોની હાજરી, અમરનાથ યાત્રાને રોકવી અને પરત ફરનારા પ્રવાસીઓ અને અન્ય રાજ્યોના નાગરિકોને પરત ફરવાની એડવાઇઝરી વચ્ચે અમિત શાહની આ મુલાકાતને લઇને વિપક્ષમાં દોડધામ મચી જવા પામી છે.
J&K: Today at about 8:15 PM, Pakistan initiated unprovoked cease fire violation by firing of small arms and shelling with mortars along LoC in Mendhar sector in Poonch district.
Indian Army is retaliating.
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે કાશ્મીરમાં આતંકવાદની સમસ્યાને જડમૂળથી ખતમ કરવા માટેની માનસિક તૈયારીઓ કરી છે. સરકારે આ માટે એક વિશેષ વ્યૂહરચના ઘડી છે, પરંતુ સુરક્ષાના કારણોસર તે અંગે હજી સુધી કોઇપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
આપને જણાવી જણાવી દઇએ કે, જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને જમ્મૂ કશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે. આ સાથે જ પાકિસ્તાની બનાવટનું હથિયાર તથા IED મળી આવતા સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.