ભારત અને શ્રીલંકાની હાલમાં જ ટી 20 સીરીઝ રમાઈ હતી જેમાં પહેલી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ તો બીજી બે મેચમાં ભારતે જીત નોંધાવી હતી. શ્રીલંકાની હાર બાદ કેપ્ટન લસિથ મલિંગાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે છે કે તેઓ દર સમય માટે તૈયાર છે અને કેપ્ટનશીપ છોડવા પણ તૈયાર છે. નોંધનીય છે કે મલિંગા પોતાની ટીમનાં પ્રદર્શનથી નિરાશ છે.
શ્રીલંકાનાં કેપ્ટને આપ્યું ચોંકાવનારુ નિવેદન
ટીમથી આ અપેક્ષા ન હતી : મલિંગા
લગભગ એક વર્ષ પહેલાં જ ફરીથી કેપ્ટન બન્યા છે મલિંગા
ભારતથી કરારી હાર બાદ શ્રીલંકાનાં કેપ્ટન લસિથ મલિંગાએ રવિવારે કહ્યું કે તેઓ ટીમની કેપ્ટનશીપ છોડવા તૈયાર છે. ભારતથી હાર્યા બાદ મલિંગાએ કહ્યું શ્રીલંકાની ટીમમાં 20 ઓવરની મેચમાં પણ પ્રભાવ છોડવાની ક્ષમતા દેખાઈ નહિ.
મલિંગાએ આપ્યું નિવેદન
તેમણે કહ્યું કે શ્રીલંકન બોલર વિરોધી ટીમને રોકવામાં પણ અસફળ રહી જયારે બેટ્સમેન ટક્કર આપવામાં 170 રન બનાવવામાં પણ અસફળ રહ્યા. મલિંગાએ કહ્યું અમારી પાસે ક્ષમતા નથી. રેન્કિંગમાં નવમાં નંબર પર આવતી ટીમથી આ અપેક્ષા ન હતી. તેમણે કહ્યું કે તેઓ ટીમનાં ખરાબ પ્રદર્શન માટે જવાબદારી લેવા માટે તૈયાર છે. લગભગ એક વર્ષ પહેલાં જ ફરી કેપ્ટન બનેલાં મલિંગાએ કહ્યું હું દરેક સમય માટે તૈયાર છું અને કેપ્ટનશીપથી હટવા તૈયાર છું.
ડિસેમ્બર 2018માં જ ફરીએકવાર કેપ્ટન બન્યામલિંગા
મલિંગાની કેપ્ટનશીપમાં જ શ્રીલંકાની ટીમે 2014માં વર્લ્ડકપ જીત્યો હતો. 2016 સુધી તેઓ કેપ્ટન હતા. ડિસેમ્બર 2018માં જ ફરીએકવાર કેપ્ટન બન્યા. શ્રીલંકા-ભારતની સીરીઝમાં પહેલી મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગઈ હતી. ભારતની ટીમે બીજી મેચ સાત વિકેટ અને ત્રીજી મેચ 78 રનથી જીતી હતી.