ભારતીય વિદેશમંત્રી જયશંકરે UNSC ની બેઠકમાં અફઘાન મામલે મોટું નિવેદન આપ્યું છે.
અફઘાનના મામલે UNSC ની મોટી બેઠક
વિદેશમંત્રી એસ.જયશંકરે દુનિયાને દેખાડ્યો માર્ગ
આતંકવાદની સામે દુનિયાએ એકજૂટ થવું પડશે.
પાકિસ્તાનનું નામ લીધા વગર જયશંકરે કહ્યું કે કેટલાક દેશ આતંકવાદની મદદ કરી રહ્યાં છે જેમણે રોકવા પડશે. યુએનએસસી બેઠકમાં જયશંકરે કહ્યું કે આતંકવાદના દરેક સ્વરુપની ટીકા થવી જોઈએ. આતંકવાદનો મહિમાગાન ન થવું જોઈએ. અફઘાનિસ્તાનની હાલતની સ્થિતિને જોતા દુનિયાએ એકજૂટ થવું પડશે.
#WATCH | "...Whether it's in Afghanistan or against India, LeT & JeM continue to operate with both impunity & encouragement.. This Council must not take a selective view of the problems we face..." EAM S Jaishankar ta UNSC briefing pic.twitter.com/n56EhB3lQu
ઉલ્લેખનીય છે કે હાલમાં યુએનએસસીની અધ્યક્ષતા ભારતની પાસે છે.
જયશંકરે કોરોનાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જે કોરોના માટે સત્ય છે તે આતંકવાદ માટે પણ સત્ય સાબિત થયું છે. જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં હોય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી.
Let us always remember that what is true of Covid is even more true of terrorism: none of us are safe until all of us are safe: EAM S Jaishankar at UNSC Briefing on Threats to international peace & security caused by terrorist acts pic.twitter.com/7gerkVP4Rd
આતંકીઓને બિટકોઈનમાં ઈનામ મળી રહ્યું છે-જયશંકર
જયશંકરે કહ્યું કે કોઈના પ્રાણ હરી લેવા માટે આતંકવાદીઓને બિટકોઈનના સ્વરુપમાં ઈનામ આપવામાં આવી રહ્યું છે. આતંકી સંગઠન આઈએસનું માળખું મજબૂત બની રહ્યું છે. યુવાનોને ઓનલાઈન પ્રચાર દ્વારા ગેરમાર્ગે દોરવાઈ રહ્યાં છે.