લશ્કર એ તૈયબાએ એકવાર ફરી કાશ્મીરમાં દહેશત ફેલાવવાની કોશિશ કરી છે. લશ્કરે પોસ્ટર જાહેર કરી કાશ્મીરના લોકોને કહ્યું છે કે તે સરકારને સહયોગ ન કરે. જે સહયોગ કરશે,તે ગદ્દાર ગણાશે.
લશ્કરે પોસ્ટર જાહેર કરી ધમકી આપી છે કે કાશ્મીરના લોકો ઘરોથી નીકળી, ગાડીઓમાં ન નીકળે. તેથી મીડિયા દ્વારા ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરી એવું કરે છે તો તેમની વિરુદ્ધ કાર્યવાહ કરવામાં આવશે.
લશ્કરના પત્રમાં કાશ્મીરના યુવાઓને ભડકાવામાં આવી રહ્યા છે. લશ્કર એ તૈયબાએ પોસ્ટરમાં કહ્યું છે કે કાશ્મીર મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો. તેને વિવાદીત મુદ્દો જાહેર કરાયો છે. લશ્કરે સરકારી કર્મચારીઓ, વ્યવસાયી, ટ્રાન્સપોર્ટરને પોતાના સહયોગમાં ઉતરવાની અપીલ કરી છે.
લશ્કરે કહ્યું છે કે લોકો રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરે. સરકારી કર્મચારી અમારી સાથે સહયોગ કરે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરે. બાઇક, સ્કૂટર, અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ રસ્તાઓ પર ન નીકળે, નહીંતર કાર્યવાહી થશે. જવાબદારી એની હશે જે બહાર નીકળશે.
કાશ્મીરમાં આતંકી મોટી સંખ્યામાં ઘુસપેઠ કરવાની કોશિશ કરી રહ્યા છે. પાકિસ્તાન સ્થિત લોન્ચ પેડ પરથી 100 આતંકી હાજર છે. કાશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરતા સમયે ધરપકડ કરવામાં આવેલા લશ્કરે તૈયબાના આતંકીઓ મોહમ્મદ નાજિમ અને મોહમ્મદ ખલીલને મોટો ખુલાસો કર્યો હતો.