જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના કિશ્તવાડમાં કુલીગઢ પાસે આજરોજ યાત્રાળુઓ ભરેલ એક અને કાર પર અચાનક પહાડ પરથી એક મોટો પત્થર પડવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે બસમાં સવાર મોટા ભાગના યાત્રીઓને ઇજા થઇ હતી.
તો આ તરફ કારને નુકસાન થયું હતું. અચાનક પહાડ પરથી પડેલ પત્થરને પગલે 5 લોકોના કમકમાટી ભર્યા મોત ઘટના સ્થળે થયાં હતા. જ્યારે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 8 ઘાયલોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આજરોજ બપોરના સમયે બનેલ આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનામાં અવસાન પામલે લોકોની ઓળખ રીટા દેવી સુભાષ ચંદ્ર કલ્યાણ સિંહ રહેવાસી સેરી ભદરવાહ અને મદન સિંહ રહેવાસી અંગલા. જો કે અન્ય લોકોના નામ અને સરનામાં અંગે હજી સુધી કોઇ જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી.
આપને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બનેલ પહાડ પરથી પત્થર પડવાની ઘટનાને લઇને રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જો કે પોલીસ કાફલો ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળએ આવીને સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ બચાવ કાર્યને આગળ ધપાવ્યું હતું.
ઘાયલ થયેલ 8 લોકોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને પણ ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.