કોરોના મહામારી સામે લડવા માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે.
અમેરિકામાં આરોગ્ય કર્મીઓએ જ કોરોના વેક્સિન લેવાની પાડી ના
૨૯ ટકા આરોગ્ય કર્મચારી વેક્સિન લેવાથી ખચકાઇ રહ્યા છે
ધી લેન્સેટ ઓન ધ સમર’ના અહેવાલમાં થયો ખુલાસો
ભારત સરકારે કહ્યું છે કે વેક્સિન સૌથી પહેલાં ફ્રન્ટ લાઈન વર્કર્સને આપવામાં આવશે. આ દરમિયાન અમેરિકાથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર્સ કોરોના વેક્સિન લેવાનો સાફ ઇનકાર કરી રહ્યા છે.
૨૯ ટકા આરોગ્ય કર્મચારી વેક્સિન લેવાથી ખચકાઇ રહ્યા છે
કેઈસર ફેમિલી ફાઉન્ડેશન દ્વારા હાલમાં જ કરવામાં આવેલા એક સરવેમાં સામે આવ્યું છે કે ૨૯ ટકા આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિન લેવાથી અચકાઈ રહ્યા હતા. સરવેમાં જાણવા મળ્યું છે કે આરોગ્ય કર્મચારીઓ કોરોના વેક્સિનથી થતી સાઈડ ઇફેક્ટ્સના કારણે ચિંતામાં છે અને આ સાથે જ તેમને સરકારના વેક્સિનને સુરક્ષિત ગણાવતા દાવા પર પણ વિશ્વાસ નથી.
ધી લેન્સેટ ઓન ધ સમર’ના અહેવાલમાં થયો ખુલાસો
પત્રિકા ‘ધી લેન્સેટ ઓન ધ સમર’ દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોરોના વેક્સિનને લઈ અશ્વેત અમેરિકી લોકોમાં વધારે ડર જોવા મળ્યો હતો અને સરવેમાં સામેલ માત્ર ૪૩ ટકા અશ્વેત અમેરિકીઓએ કહ્યું છે કે તેઓ વેક્સિન જરૂરથી લગાવશે.
૬૦ ટકા નર્સિંગ સ્ટાફે વેક્સિનના શોટ લેવાની સ્પષ્ટ ના પાડી
ઓપિયોના ગવર્નર માઈક ડેવિને કહ્યું હતું કે તેઓ ઘણા પરેશાન છે, કેમ કે જે નર્સિંગ સ્ટાફને વેક્સિન આપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો તેમાંથી વેક્સિન લેવાની સંખ્યા ઘણી ઓછી છે. તેમણે કહ્યું હતું કે લગભગ ૬૦ ટકા નર્સિંગ સ્ટાફે વેક્સિનના શોટ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આ સાથે જ ફાયર ફાઈટર્સ એસોસિયેશનના અધ્યક્ષે દાવો કર્યો છે કે ન્યૂયોર્ક ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ૫૫ ટકા કર્મચારીઓએ કહ્યું છે કે તેઓ કોરોના વેક્સિન લેવા ઇચ્છતા નથી.