આજ રાતથી શરતો સાથે લીલી પરિક્રમાની શરૂઆત, લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા માત્ર 400 લોકોની મંજૂરી મળતા લીલી પરિક્રમામાં જવા દેવા માટે લોકોએ મચાવ્યો હોબાળો
આજ રાતથી શરતો સાથે લીલી પરિક્રમાની શરૂઆત
પરિક્રમાના એન્ટ્રી ગેટ પર લોકોની હલ્લાબોલ
શ્રદ્ધાળુઓમાં લીલી પરિક્રમાનું છે અનેરુ મહત્વ
આજથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતા પ્રવેશ દ્વાર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી, કોરોના મહામારીને પગલે આવખે લીલી પરિક્રમા માટે તંત્ર દ્વારા માત્ર 400 લોકોની મંજૂરી મળતા લીલી પરિક્રમામાં જવા દેવા માટે લોકોએ હોબાળો મચાવ્યો હતો. મુખ્ય પ્રવેશ દ્વારા પર શ્રદ્ધાળુઓના ધસારાને લીધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કોરોનાના કારણે લીલી પરિક્રમામાં માત્ર 400 લોકોને મંજૂરી અપાઇ છે જેમાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકે છે, તંત્રના આવા નિર્દેશને પગલે આજે શ્રદ્ધાળુઓ અને વિશ્વ હિન્દુ સંગઠન ભારે વિરોધ કરી રહ્યું છે, વિરોધને પગલે પરીક્રમાના મુખ્ય ગેટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. હાલ કોરોના મહામારીને પગલે સ્થાનિક તંત્રે માત્ર ઓછા લોકોની પરવાનગી સાથે પરિક્રમાં કરવાની મંજૂરી આપી છે, તો આજે પરિક્રમાંની શરૂ આત થઈ જેમાં સાધુ સંતો જોડાયા હતા.
આજ રાતથી શરતો સાથે લીલી પરિક્રમાની શરૂઆત
ગિરનારની લીલી પરિક્રમાનો આજ રાતથી પ્રારંભ થશે જેમાં રાત્રે 12 વાગે સાધુ-સંતો પૂજન કરીને પરિક્રમાનો પ્રારંભ કરશે, તંત્રએ 400 લોકોની મંજૂરી સાથે આપી છે જેને પગલે હજરો શ્રદ્ધાળુઓ ગિરનાર તળેટી આવી પહોંચ્યા છે અને પરિક્રમાના નિયમોમાં ફેરફાર કરવાની માંગ તેવી રહ્યા છે. પરિક્રમા કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતા પોલીસ કોરોના નિયમોના અમલવારીને પગલે લોકોને દૂર ખસેડી, પરિક્રમાં ગેટથી લોકોને દૂર ખસેડાતા પોલીસનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. પરિક્રમાના એન્ટ્રી ગેટ પર લોકો હલ્લાબોલ કરી પરિક્રમામાં જવાની જીદ કરતા નજરે પડી રહ્યા છે, મહત્વનું છે કે ગિરનારની લીલી પરિક્રમાનું અનેરુ મહત્વ હોય છે ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા નિયમોમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
પરિક્રમાના એન્ટ્રી ગેટ પર લોકોની હલ્લાબોલ
દર વર્ષે કારતક સુદ અગિયારસથી કાર્તિક પૂર્ણિમા સુધી યોજાતી લીલી પરિક્રમા આ વર્ષે ઓછા લોકો સાથે યોજાશે. સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર એવા જૂનાગાઢમાં કોરોના વાયરસનાં કારણે છેલ્લા બે વર્ષથી લીલી પરિક્રમાનું આયોજન કરી શકાયું ન હતું ત્યારે આ વર્ષે કલેકટરની બેઠકમાં લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી છે. જો કે આ પરિક્રમાં દરમિયાન માત્ર 400 લોકો જ ભાગ લઈ શકશે જેમાં કોરોના ગાઈલ લાઈનનું પણ પાલન કરવાનું રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર આ પરિક્રમામાં માત્ર સાધુ સંતો જ જોડાઈ શકશે. જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે.
શ્રદ્ધાળુઓમાં લીલી પરિક્રમાનું છે અનેરુ મહત્વ
મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાથી લીલી પરિક્રમાને મંજૂરી મળી છે પરંતુ માત્ર પતિકાત્મક રીતે આ લીલી પરિક્રમા મંજૂરી મળી છે, દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે. ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે.