સરકાર તાજેતરમાં જ એક નવી યોજના બનાવી રહી છે. જેની આપ પર સીધી અસર પડશે. આ અંતર્ગત આપ વાર્ષિક પોતાનાં બેંક ખાતામાં એક નિશ્ચિત રકમ જમા કરો છો અથવા નિકાળો છો તો આપનાં દ્વારા માત્ર પાનની જાણકારી આપવાનું કાફી નહીં હોય. આ માટે સરકાર આધાર કાર્ડને જરૂરી એટલે કે ફરજિયાત કરી શકે છે.
સરકાર તાજેતરમાં જ એક નવી યોજના બનાવી રહી છે. જેની આપ પર સીધી અસર પડશે. આ અંતર્ગત આપ વાર્ષિક પોતાનાં બેંક ખાતામાં એક નિશ્ચિત રકમ જમા કરો છો અથવા નિકાળો છો તો આપનાં દ્વારા માત્ર પાનની જાણકારી આપવાનું કાફી નહીં હોય. આ માટે સરકાર આધાર કાર્ડ (aadhaar card) ને જરૂરી એટલે કે ફરજિયાત કરી શકે છે. આ પગલાથી સરકારનો ઉદ્દેશ્ય ભારતની અર્થવ્યવસ્થામાં કરન્સીના વધારે પ્રવાહ પર પક્કડ જમાવવાનો છે. એટલા માટે આપ બાયોમેટ્રિક ટૂલ અથવા તો વન ટાઇમ પાસવર્ડ (OTP)નો ઉપયોગ કરીને કેવાઇસી કરાવી શકો છો.
એક ખાનગી વર્તમાનપત્રનાં જણાવ્યા અનુસાર, આનો વિસ્તાર હજી વધારે વધારવામાં આવશે. ફાઇનાન્શિયલ બિલમાં પ્રસ્તાવિત બિલને અનુસાર, આમાં સીમાથી વધારે વિદેશી કરન્સીની ખરીદી પણ સામેલ થશે. વર્તમાન સમયમાં આને માટે માત્ર પાન કાર્ડ જ આપવામાં આવે છે.
પ્રોપર્ટી લેણદેણના મામલામાં પણ જરૂરી હશે આધારઃ
આ સંદર્ભમાં એક સૂત્રએ જણાવ્યું કે કોઇ નિશ્ચિત મૂલ્યનાં પ્રોપર્ટી લેણદેણ (Transaction) ના મામલામાં પણ માત્ર આપના આધાર અથવા તો પાનની જાણકારી આપવી એ ફરજિયાત નહીં હોય. પ્રોપર્ટીનાં રજિસ્ટ્રેશનના સમયે આધારનાં પ્રમાણીકરણની પણ જરૂરિયાત રહેશે.
નાની મોટી લેણદેણ કરનારા લોકોને નહીં પડે મુશ્કેલીઃ
સૂત્રોનું માનીએ તો આ વ્યવસ્થા અંતર્ગત સરકાર આ પ્રકારે સીમા નક્કી કરવા ઇચ્છે છે. જેનાથી નાની મોટી લેણદેણ કરનારા લોકોને કોઇ જ મુશ્કેલી ના આવી. પરંતુ માત્ર એવા લોકોને ટ્રેક કરી શકાય કે જે એક નિશ્ચિત મૂલ્યથી વધારાનુ લેણદેણ કરે છે. જો કે આની પર કામ કરવાની જરૂરિયાત છે. પરંતુ બાયોમેટ્રિક ટૂલ અથવા તો પછી ઓટીપીની મદદથી આધાર પ્રમાણીકરણને અનિવાર્ય કરવાથી 10થી 25 લાખ સુધીની લેણદેણ વિશે માલુમ કરી શકાય છે.