હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદીત સ્વામી નિત્યાનંદનાં યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં જનાર્દન શર્માની દીકરી નિત્યાનંદિતા કથીત રીતે ગુમ થવા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ત્યારે પોલીસ દ્વારા આશ્રમમાં સર્ચ ઓપરેશન હાધ ધરાયું હતું.
આશ્રમના તમામ લેપટોપ અને મોબાઈલ જપ્ત કરાયા
મકાન ભાડે અપાય તો પોલીસને જાણ હોવી જોઈએ: પોલીસ
CWCની હાજરીમાં બાળકોની પૂછપરછ કરી: પોલીસ
નિત્યાનંદ આશ્રમમાં પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમમાં કથિત રીતે બાળકોને ગોંધી રાખવા અને યુવતીઓ ગુમ થવાના કેસની તપાસ કરી રહેલી પોલીસે આજે આશ્રમમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે આશ્રમમાંથી શંકાસ્પદ સામગ્રી કબ્જે લીધી હતી. પોલીસે 43 ટેબ્લેટ, 14 લેપટોપ, 3 પેન ડ્રાઈવ કબ્જે લીધી હતી. તેમજ 3 CPU, 1 DVR, 1 પેડ અને 4 મોબાઈલ પણ કબ્જે લીધા હતા. આ ઉપરાંત પોલીસે એક લોકર પણ કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તમામ ટેકનિકલ માહિતીનું એનાલિસીસ કરશે
પોલીસે આશ્રમમાં સર્ચ કરીને જપ્ત કરેલા લેપટોપ અને મોબાઇલ ફોનને એફએસએલમાં ચકાસણી માટે મોકલવામાં આવશે. લેપટોપ અને મોબાઇલ ફોનમાં લોક છે જેને આશ્રમના સંચાલકોએ ખોલવાનો ઇન્કાર કરી દેતા પોલીસે એફએસએલની મદદ લેવાનું નક્કી કર્યુ છે. તો નિત્યાનંદ અને નિત્યાનંદિતાને શોધવા પણ કાર્યવાહી હાથ ધરાશે.
21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા
નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી તામિલનાડુનાં જનાર્દન શર્માના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા કેટલાક મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતાં. પરંતુ 18 વર્ષની નિત્યાનંદીતા અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલીસે તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરી હતી હતી જેમાં જાણવા મળ્યુ હતું કે 21 વર્ષની દિકરી વિદેશમાં છે. 18 વર્ષની નિત્યાનંદિતા છેલ્લા ધણા સમયથી લાપતા છે જેને શોધવના માટે પોલીસે તજવીજ શરુ કરી છે.
હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ
જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી છે. જેમાં 26 સુધીમાં નિત્યાનંદીતાને હાજર રાખવા માટે આદેશ કર્યા છે. તો બીજી તરફ ગઇકાલે નિત્યાનંદિતાના સગીરવયના ભાઇ બહેનનું અપહરણ કરીને તેમને બળજબરી પુર્વક ગોંધી રાખ્યા બાદ બાળમજુરી કરાવવા મામલે અમદાવાદ જીલ્લાની વિવેકાનંદ નગર પોલીસે બે મહિલા સાધ્વી હરીણી ચેલ્લાપ્પન ઉર્ફે પ્રાણપિર્યાનંદા અને રિધ્ધી રવિકિરણ ઉર્ફે નિથ્યા પિર્યાતત્વાનંધાની ધરપકડ કરી છે. આ મામલે અમદાવાદ જીલ્લાના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યુ હતું કે આશ્રમથી કેટલાક લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે જે તમામમાં લોક હોવાથી પોલીસ તેને એફએસએલમાં મોકલી આપશે.