શ્રીલંકામાં સરકાર વિરોધી દેખાવ કરી રહેલા પ્રદર્શનકારીઓએ ઘરમાં ઘુસીને પીએમ રાનિલ વિક્રમસિંઘેનું ઘર સળગાવી મૂક્યું હતું.
શ્રીલંકામાં પ્રદર્શનકારીઓ હિંસક બન્યાં
પીએમ રાનિલ વિક્રમસિંઘેનું ઘર સળગાવી મૂક્યું
વિક્રમસિંઘેએ રાજીનામાની ઓફર કરી છે
શ્રીલંકામાં સરકાર વિરોધી દેખાવ કરી રહેલા લોકો હવે હિંસા પર ઉતર્યાં છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના પેલેસમાં જઈને તોડફોડ કરનાર પ્રદર્શનકારીઓએ હવે કોલંબો સ્થિત પીએમના ઘરમાં ઘુસ્યાં હતા અને તેમના ઘરને સળગાવી મૂક્યું હતું. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે પ્રદર્શનકારીઓને પીએમના ઘરમાં ઘુસતા અટકાવવા બળપ્રયોગ કર્યો હતો તેમ છતાં પણ તેઓ માન્ય નહોતા. ગાંડા થયેલા પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને આ દરમિયાન તક મળતા જ તેઓ પીએમના ઘરમાં ઘુસી ગયા હતા અને તેને આગ લગાડી દીધી હતી.
રાષ્ટ્રપતિ આવાસમાં પણ ઘુસી ગયા હતા પ્રદર્શનકારીઓ
પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ આવાસમાં પણ ઘુસ્યાં હતા અને ભારે ધમાલ મચાવી હતી. લોકોનો ગુસ્સો પારખીને રાષ્ટ્રપતિ ગોટબાયાએ વહેલી વાડ કરી હતી અને તેઓ પરિવારને લઈને ભાગી નીકળ્યાં હતા. હાલમાં તેઓ ક્યાં છે તેની કોઈને ખબર નથી. જો તેઓ પેલેસમાં હોત તો ઘણું ગંભીર પરિણામ આવ્યું હોત.
Protesters have broken into the private residence of Prime Minister Ranil Wickremesinghe and have set it on fire - PM's office pic.twitter.com/yXGFvHbMKt
પીએમ રાનિલ વિક્રમસિંઘેએ આપ્યું રાજીનામું
આ દરમિયાન પીએમ રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામાની ઓફર કરી છે. તેમ છતાં પણ પ્રદર્શનકારીઓ શાંત પડવાનું નામે લેતા નથી અને હિંસા વધારી રહ્યાં છે.
— Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 9, 2022
શ્રીલંકામાં આર્થિક કટોકટીને પગલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે લોકો વિફર્યા હતા અને તેઓ શનિવારે રાષ્ટ્રપતિ મહેલમાં ઘુસી ગયા હતા તેમની મુખ્ય માગ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી રાજીનામું આપે તેવી છે.
To ensure the continuation of the Government including the safety of all citizens I accept the best recommendation of the Party Leaders today, to make way for an All-Party Government.
To facilitate this I will resign as Prime Minister.
અનુરા કુમારા દિસાનાયકે બનશે આગામી રાષ્ટ્રપતિ- સૂત્રો
એસ.એલ.પી.પી.ના જનરલ સેક્રેટરી સાગર કરિયાવાસમે વિમુક્તિ પેરામુનાને નેતા તરીકે નિમણૂક કરવાનું સૂચન કર્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સાંજે પાર્ટીના નેતાઓની બેઠક દરમિયાન અનુરા કુમારા દિસાનાયકેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.