આસામની રાજધાની ગુવાહાટીમાં મુશળધાર વરસાદની વચ્ચે સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ પર ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આસામમાં આ વર્ષે ભૂસ્ખલનને લઈને 42 લોકોના મોત થયા
સતત વરસાદના કારણે શહેરોના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા
આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી નથી
આસામની રાજધાની ગુવાહાટીમાં મુશળધાર વરસાદની વચ્ચે સતત બીજા દિવસે અલગ અલગ જગ્યાએ પર ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત થઈ રહેલા વરસાદના કારણે આસામના ઘણાં શહેરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જો કે, હજી સુધી વરસાદી સંબંધી ઘટનાઓના પગલે કોઈ જાનહાનીના કોઈ મામલો સામે નથી આવ્યો
રાજ્યમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનને કારણે 42 લોકોના મોત થયા છે. બોરગાંવમાં મંગળવારે ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોતનો આંકડો પણ તેમાં સામેલ છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ભૂસ્ખલનને કારણે કાટમાળ જમા થવાને કારણે ગીતાનગર, સોનાપુર, કાલાપહાર અને નિજારાપર વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
આસામના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે - અનિલ નગર, નબીન નગર, રાજગઢ લિંક રોડ, રુક્મિણીગાંવ, હાટીગાંવ અને કૃષ્ણા નગર સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFના જવાનો તૈનાત છે, અધિકારીએ જણાવ્યું હતું. બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને રાહત સામગ્રી પૂરી પાડવા.
Rainy season has started in Assam from 22nd March. It was raining continuously for the last 10 day and it has not stopped even for a second since last 48 hours. God please save us 🙏
IMD has issued forcast for heavy rain fall in next 24 hours again 🥺#AssamFloods2022#Assampic.twitter.com/E8fC7IDNnf
આસામ વીજળી વિત્રાન કંપની લિમિટેડ (APDCL) શહેરમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે 24 કલાક કામ કરી રહી છે, મહત્વનું છે કે, આસામના કેટલાક ભાગોમાં મંગળવારથી વીજળી વિનાના છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો મોકલવામાં આવ્યા છે.મકમરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને લોકોને તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ તેમના ઘરની બહાર આવવા અપીલ કરી છે.
કામરૂપ મેટ્રોપોલિટનના ડેપ્યુટી કમિશનર પલ્લવ ગોપાલ ઝાએ પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) દ્વારા જારી કરાયેલ વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓને વર્ગો સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આસામમાં 17 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. જણાવી દઈએ કે ગયા મહિને આસામમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે હવે ચોમાસાના આગમન બાદ સ્થિતિ વધુ વણસી શકે છે.