બ્રેકિંગ ન્યુઝ
VTV / Landslide kills two children in Assam, 150 students trapped in school in Karnataka
Last Updated: 08:52 AM, 17 June 2022
ADVERTISEMENT
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદે ભારે તબાહી મચાવી
પૂર્વોત્તર રાજ્યોના મોટા વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ગુરુવારે આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોના મોટા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી પ્રદેશમાં વધુ વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
Assam | Water logging occurred in several parts of Guwahati as pathways and roads got inundated after rains lashed the city. (16.06) pic.twitter.com/d3qokC2NyN
— ANI (@ANI) June 16, 2022
આગામી 5 દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો ભારે વરસાદ વકી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આગામી પાંચ દિવસ સુધી તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો અને તેની નજીકના ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે વ્યાપક વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું હતું કે, "આસામ અને મેઘાલયમાં 16 થી 18 જૂન સુધી અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે." હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં 19 જૂન સુધી અને ઓડિશામાં 17 જૂન સુધી ભારે વરસાદની શક્યતા છે.
આસામમાં ભૂસ્ખલનથી બે બાળકોના મોત
આસામમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ગુરુવારે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ વધુ વણસી જવાને કારણે વધુ બે લોકોના મોત થયા હતા. આસામના ગોલપારા જિલ્લાના આઝાદ નગર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં દિમા હસાઓ અને ઉદલગુરીમાં બે બાળકોના મોત થયા હતા અને બે લોકો ડૂબી ગયા હતા. જેના કારણે રાજ્યમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃતકોની સંખ્યા વધીને 46 થઈ ગઈ છે.
#WATCH | Assam: Portion of Kalaigaon-Udalguri connecting road washed away in Udalguri district by a raging river Noa. pic.twitter.com/XuEMwht7Vd
— ANI (@ANI) June 16, 2022
ભૂસ્ખલનના કાટમાળને કારણે રોડ જામ
ગુવાહાટીમાં, નૂનમતી વિસ્તારમાં એક દિવસના ભૂસ્ખલન બાદ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોયપુર, બોંડા કોલોની, સાઉથ સરનિયા, ગીતાનગરના અમાયાપુર અને ખરગુલી વિસ્તારના 12 માઈલ સહિતના ઘણા વિસ્તારોમાં કાટમાળના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હતા.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આસામના ઓછામાં ઓછા 18 જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. આમ 18 જિલ્લાઓમાં લગભગ 75,000 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની ઉપનદીઓનું જળસ્તર વધી રહ્યું છે, જ્યારે માનસ નદી કેટલીક જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
Under the influence of strong SWly winds from BoB to NE & adjoining east India in lower tropospheric levels:
— India Meteorological Department (@Indiametdept) June 16, 2022
o Isolated extremely heavy rainfall also likely over Assam & Meghalaya during 16th-18th June; over Arunachal Pradesh on 16th and over SHWB& Sikkim on 16th & 17th June.
શૈક્ષણિક સંસ્થાઓને શનિવાર સુધી વર્ગો મુલતવી રાખવા સૂચના
પ્રાદેશિક હવામાન કેન્દ્રે આસામ અને મેઘાલયમાં મુશળધાર વરસાદની ચેતવણી આપી છે. આસામના નીચલા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરોએ પણ શૈક્ષણિક સંસ્થાઓને શનિવાર સુધી વર્ગો મુલતવી રાખવા સૂચના આપી છે.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘાલય, આસામ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો અને નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો.
ચોમાસું પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાનો તરફ આગળ વધે તેવી શક્યતા છે
હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું શુક્રવાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાનો અને રાજ્યના તમામ ઉત્તરીય જિલ્લાઓ તરફ આગળ વધવાની ધારણા છે. જેના કારણે આ વિસ્તાર સહિત સમગ્ર ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ પ્રદેશમાં દિવસ અને રાત્રિનું તાપમાન અને ભેજનું સ્તર ઘટશે.IMDએ જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી આવતા દક્ષિણ-પશ્ચિમ પવનોને કારણે આગામી પાંચ દિવસમાં દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી, કૂચ બિહાર અને અલીપુરદ્વારના ઉપ-હિમાલયના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. જ્યારે ઉત્તર બંગાળમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Telangana during 16th-19th; Tamilnadu, Puducherry & Karaikal during 16th-18th; over south Konkan & Goa during 18th-20th and over south Madhya Maharashtra on 20th June, 2022.
— India Meteorological Department (@Indiametdept) June 16, 2022
કર્ણાટકમાં ભારે વરસાદના કારણે 150 વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા
ગુરુવારે મુશળધાર વરસાદને કારણે ધારવાડ જિલ્લાના એક ગામમાં એક સરકારી હાઈસ્કૂલમાં પાણી ભરાઈ જતાં ઓછામાં ઓછા 150 વિદ્યાર્થીઓ ફસાયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બપોરે 3 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘરે પાછા ફરવા માટે વરસાદ બંધ થવાની રાહ જોતા હતા,પરંતુ વરસાદ બંધ થયો ન હતો. જેના કારણે શાળાની આસપાસ પાણી ભરાઈ ગયા હતા અને શાળા ટાપુ જેવો દેખાવા લાગી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.